અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટનો ATCને અંતિમ મેસેજ; જાણો શું કહ્યું હતું?

અમદાવાદ: 12 જુન 2025 ગુરુવારનો દિવસ ભારતના એવિએશન સેક્ટર માટે કાળા દિવસ તરીકે હંમેશા માટે નોંધાઈ ગયો છે. લંડનના ગેટવિક એરપોર્ટ માટે અમદવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓફ બાદ થોડી જ સેકન્ડ્સમાં જ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થઇ હતી, આ ભયંકર દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા (Ahmadabad Plane Crash) છે. પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે, ક્રેશ પહેલા વિમાનના પાઇલટે આપેલો અંતિમ શું હતો એ જાણવા મળ્યું છે.

ટેક ઓફની થોડી સેકન્ડ્સ બાદ જ ફ્લાઈટના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલે અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ(ATC)ને ‘મે ડે’ કોલ આપ્યો (May Day call)હતો. ઉડ્ડયન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેપ્ટને ATC ને મેસેજ આપ્યાની ગણતરીનો સેકન્ડ્સમાં જ ફ્લાઇટ AI 171 ક્રેશ થઈ ગઈ હતી.

પાઇલટ અંતિમ શબ્દો:

એક અહેવાલ મુજબ ફ્લાઇટ AI 171ના પાઇલટનો માંડવાળ ATC ને છેલ્લો મેસેજ હતો,”થ્રસ્ટ નથી મળી રહ્યું ….વિમાન પડી રહ્યું છે… મે ડે! મે ડે! મે ડે!(Thrust not achieved… falling… Mayday! Mayday! Mayday!)”

ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાને બપોરે 1:39 વાગ્યે ટેક ઓફ કર્યું હતું અને 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ નીચે પડ્યું હતું.

ATCએ જવાબ આપ્યો પણ…

પત્રકારો સાથે વાત કરતા, ઉડ્ડયન મંત્રાલયના સચિવ એસ.કે. સિંહાએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન ટેકઓફ પછી 650 ફૂટથી ઉપર ન ઉઠી શક્યું ત્યારે પાઇલટ્સે ATCને ડિસ્ટ્રેસ કોલ કર્યો હતો. આ કોલ મળ્યા પછી ATC એ તુરંત જવાબ આપ્યો પરંતુ ત્યાં સુધીમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું.

ઉડ્ડયન સચિવે કહ્યું “બરાબર એક મિનિટ પછી એરપોર્ટથી બે કિલોમીટર દૂર વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થયું. વિમાનના કેપ્ટન સુમિત સભરવાલ હતા અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ સુંદર હતા.”

આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 31 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ સોંપાયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button