આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે કર્યાં સસ્પેન્ડ, રાજીનામા બાદ લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની દરેક પદેથી રાજીનામું આપ્યાં બાદ આમ આદમી પાર્ટીએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આવી રીતે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવી રીતે મજબૂત થઈ શકશે? ઉમેશ મકવાણાએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપ્યું હતું. તો સામે આમ આદમી પાર્ટીએ પણ તેમની સામે કાર્યવાહી કરીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
ઇસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી
ઇસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે, ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓ માટે પાંચ વર્ષ સુધી પાર્ટીમાથી સસ્પેન્ડ કરવામાં આવે છે’.સામે ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તેવો પોતાના લેટર પેડમાં ઉલ્લેખ તો કર્યો નથી. તેમણે લખ્યું કે, ‘હું આમ આદમી પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપું છું…’ તો હવે અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે, શું ગોપાલ ઈટાલિયા ધારાસભ્યાની ચૂંટણી જીત્યા એટલા માટે રાજીનામું આપ્યું છે કે, પછી કોઈ આંતરિક મતભેદ થયાં છે?
હું બોટાદની જનતા સાથે વિશ્વાસઘાત નહીં કરૂંઃ ઉમેશ મકવાણા
ઉમેશ મકવાણાનું રાજીનામું આપવું અને પાર્ટીનું તેમને સસ્પેન્ડ કરવું આમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યાં છે. જેની અત્યારે મીડિયામાં અને લોકોમાં ચર્ચા થઈ રહી છે. પાર્ટીએ પાંચ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં છો તો શું હવે ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપશે? જો કે, પોતાના સત્તાવાર નિવેદનમાં તો કહ્યું હતું કે, ‘આ માટે હું મારી બોટાદની જનતાને પૂછીને નિર્ણય લઈશ. બોટાદની જનતાએ મારા પર વિશ્વાસ મુક્યો છે તેને હું તોડીને તેમની સાથે વિશ્વાસઘાત નહીં કરું’. પરંતુ મહત્વની વાત એ છે કે, આ નિવેદન ઉમેશ મકવાણાએ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા તે પહેલા આપ્યું હતું.
આ પણ વાંચો…ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દરેક પદેથી આપ્યું રાજીનામું, લોકોમાં અનેક તર્ક- વિતર્ક