આંબાવાડીમાં 2 ટાંકી સાથે મકાનનો સ્લેબ તૂટતા દોડધામ! 10 લોકોનો આબાદ બચાવ, એક ઇજાગ્રસ્ત

અમદાવાદઃ અમદાવાદમાં આજે પણ ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે પ્રિ-મોન્સુની કામગીરી ખાડે ગઈ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે લોકોને વધારે પરેશાની થતી હોય છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બે પાણીની ટાંકી ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આંબાવાડી વિસ્તારમાં આવેલ આઝાદ નગર સોસાયટીમાં જી-બ્લોકમાં રહેલી ઓવરહેડ ટાંકીઓ અચાનક પડી ગઈ હોવાની લોકો ડરી ગયાં હતા. કારણે કે, બે ટાંકીઓ પડતા ગેલેરીનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર વિભાગે 10થી વધુ લોકોને સહી સલામત બહાર કાઢ્યા
સમગ્ર બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા બે ટીમો ઘટનાસ્થળે દોડી આવી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર વિભાગની ટીમે 10થી વધુ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સલામત લેડરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં એક વૃદ્ધા ઇજાગ્રસત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, કોઈ જાનહાનિ ના થઈ હોવાની સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર ઘટના દરમિયાન સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યાં હતા.
આપણ વાંચો ઘરમાં જ દીપડા ઘુસી જાય તો રહેવું કઈ રીતેઃ ઊનામાં દીપડાથી પત્નીની બચાવતા પતિ ઘાયલ
અમદાવાદમાં આ વર્ષે વરસાદના કારણે 2 જગ્યાએ મકાન ધરાશાયી થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે અનેક જગ્યાએ મકાન ધરાશાયી થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદમાં પણ આ વર્ષે વરસાદના કારણે બે જગ્યાએ મકાન ધરાશાયી થયા હતા. જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું. આજે આંબાવાડી વિસ્તારમાં ટાંકીઓ તૂટી પડી હતી. આજની ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાના સમાચાર મળ્યાં છે. વરસાદી વાતાવરણ દરમિયાન કાચા મકાનો, જર્જરિત ઇમારતોથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણે કે, વરસાદના કારણે આ મકાનો ધરાશાયી થઈ શકે છે. જેથી પહેલા જ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવે છે.