અમદાવાદટોપ ન્યૂઝ

ગાર્ડ ઓફ ઓનર સાથે 148મી રથયાત્રાનો પ્રારંભ; CMએ પહિંદવિધિ કરી રથયાત્રાને કરાવ્યું પ્રસ્થાન, વરસાદે કર્યાં વધામણા…

અમદાવાદઃ ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા (148th Rath Yatra of Lord Jagannath)ને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ રહેતો હોય છે. અમદાવાદ ખાતે યોજાતી રથયાત્રા (Jagannath Rath Yatra) ભક્તો મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. આજે પણ રથયાત્રાના દિવસ વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. વહેલી સવારે મંગળા આરતી કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. .

પ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજીને ગોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
શ્રીનાથજીના ભક્તો માટો ખૂશીની વાત છે કે, આ વર્ષે પ્રથમ વખત ભગવાન શ્રી જગન્નાથજીને ગોર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આજે શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રામાં 18 હાથી, ભારતીય સંસ્કૃતિ ઝલક આપતા 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા સાથે રથયાત્રા નીકળી ગઈ છે. સવારે 4 વાગ્યાથી ભક્તો જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડ્યાં છે.

મેઘરાજાએ પણ અમી છાંટણીથી રથયાત્રાની વધામણી કરી
જગન્નાથજીની રથયાત્રાની મેઘરાજાએ પણ અમી છાંટણીથી વધામણી કરી છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. દર વર્ષે ભગવાન જગન્નાથજીનો પહેલો રથ સવારે 7.10 વાગ્યે જ બહાર નીકળતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો છે. જેથી મેઘરાજાએ પણ રથયાત્રાને વધાવી લીધી છે. ભગવાન શ્રી બલરામનો બીજો રથ મંદિરની બહાર નીકળી ગયો છે. બંને રથ મંદિરની બહાર નીકળ્યા ત્યારે ચારેય દિશામાં જય રણછોડના નાદ ગુંજી ઉઠ્યાં હતાં.

દેશભરના લાખો ભક્તોની દૃઢ આસ્થા એટલે જગન્નાથજીની રથયાત્રા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં. દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન આજની રથયાત્રાના આ પાવન અવસરે અમદાવાદ મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા સહકાર રાજ્ય પ્રધાન જગદીશ વિશ્વકર્મા, સ્થાનિક ધારાસભ્યઓ, સંતો- મહંતો તેમજ ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button