ભુજ

ગુજરાતના કચ્છમાં ફરી એકવાર 3.3 ની તીવ્રતાનો Earthquake નો આંચકો અનુભવાયો

ભૂજ: ગુજરાતના કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છમાં સવારે 3. 3 તીવ્રતાનો ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચે( ISR)જાણકારી આપી હતી કે ભૂકંપના આંચકાના કારણે જિલ્લામાં કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી.

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આ મહિના ચોથો આંચકો

ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.05 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી પશ્ચિમ-દક્ષિણ- પશ્ચિમમાં હતું. ISR ડેટા અનુસાર, રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આ મહિનામાં અત્યાર સુધીમાં ચાર વખત ત્રણથી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આપણ વાંચો: કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ રાપર નજીક ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો…

ગુજરાત ભૂકંપને લઈને સંવેદનશીલ રાજ્ય

ગુજરાત સિસ્મિક એક્ટિવિટીની દ્રષ્ટિએ સંવેદનશીલ રાજ્ય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર, આ પ્રદેશમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. GSDMA અનુસાર, 2001નો કચ્છનો ભૂકંપ બે સદીઓથી વધુ સમયમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો.

2001માં આવેલા ભૂકંપને કારણે ભારે તારાજી સર્જાઈ હતી

ગુજરાતમાં વર્ષ 2001માં ભૂકંપના જોરદાર આંચકાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. જેમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ પાસે હતું. જેના કારણે સમગ્ર રાજ્ય પ્રભાવિત થયું હતું. GSDMA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભૂકંપમાં લગભગ 13,800 લોકોના મોત થયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ