કંડલાથી ઓમાન જતા જહાજમાં ભીષણ આગ 14 ક્રૂ મેમર ફસાયા, INS નૌકાદાળે બચાવ રાહત કાર્ય શરૂ કર્યું…

કંડલા: ગુજરાતના કંડલા બંદરથી એક જહાજ ઓમાન જવા માટે રવાના થયું હતું. ઓમાનના અખાત પાસે જહાજમાં ભાષણ આગ ફાટી નીકળી હતી. જે બાદ જહાજ તરફથી ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. આ કોલ બાદ ઓમાનની ખાડીમાં ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ફ્રિગેટ INS તબરે એક જહાજ પર લાગેલી આગને કાબૂમાં લેવાનું સાથે બચાવ કાર્ય હાથ ધર્યું છે. એમટી યી ચેન્ગ 6 જહાજ ઓમાનના શિન્સ જતું હતું. જહાજના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે જહાજ પર વીજળી ખોરવાઈ હતી. INS તબરે આપાતકાલીન કૉલના જવાબમાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું.
29 જૂને પુલાઉ ધ્વજ ધરાવતા એમટી યી ચેન્ગ 6 જહાજે આઈએનએસ તબરને આપાતકાલીન સંદેશ મોકલ્યો. આ જહાજ 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથે કાંડલાથી શિન્સ જઈ રહ્યું હતું. એન્જિન રૂમમાં લાગેલી આગે જહાજને અંધારામાં ડૂબાવી દીધું હતું. નૌકાદળે તરત જ આ કૉલ સ્વીકારીને બચાવ કાર્ય શરૂ કર્યું. આઈએનએસ તબરે નાવડી અને હેલિકોપ્ટરની મદદથી ફાયર ટીમ અને સાધનો જહાજ પર મોકલ્યા.
ફાયર ટીમમાં 13 ભારતીય નૌસૈનિકો અને જહાજના પાંચ ચાલક દળના સભ્યોનો સમાવેશ છે. સમાચાર લખતી વખત જાહજ પરની આગની જ્વાળાઓ ઓછી થવા લાગી હતી જ્યારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ યથાવત્ હતો. ભારતીય નૌકાદળના પ્રવક્તાએ X પર જણાવ્યું કે આઈએનએસ તબરે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરી, જે નૌકાદળની તત્પરતા અને કૌશલ્ય દર્શાવે છે.
આ બચાવ કાર્ય ભારતીય નૌકાદળની કટોકટીનો સામનો કરવાની ક્ષમતાને ઉજાગર કરે છે. આગને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો સફળ રહ્યા તો જહાજ અને તેના ચાલક દળની સુરક્ષા નિશ્ચિત થશે. આ ઘટના દર્શાવે છે કે દરિયાઈ સુરક્ષા અને આપાતકાલીન રાહતમાં ભારતીય નૌકાદળની ભૂમિકા કેટલી મહત્વની છે.