આપણું ગુજરાત

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય હવામાન વિભાગે રાજસ્થાનમાં ઉત્તર પૂર્વમાં બનેલા લો પ્રેશરને કારણે એક સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરમિયાન રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં ઉત્તર પૂર્વમાં બનેલા લો પ્રેશરને કારણે એક સિસ્ટમ બની રહી છે જેના કારણે તા.૧૯મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે તા.૨૦મી સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ભારેથી અતિભારે જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. જ્યારે તા.૨૧મી સપ્ટેમ્બરે કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી
શકે છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સાથે માછીમારોને ૨૦મી તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…