આપણું ગુજરાત

Gujarat સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરે તેવી શક્યતા

ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. જો કે તેમા સૌથી વધુ વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે મળ્યા હતા. તેવા સમયે સરકાર હવે નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરે તેવી શક્યતા છે.

1 એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે

ગુજરાત સરકારે રાજ્યમાં જમીન અને મિલકત વ્યવહારો માટે મહત્વપૂર્ણ ગણાતા જંત્રી દરોને ફરી એકવાર સુધારવા તૈયારી દર્શાવી છે. મળતી માહિતી મુજબ, જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરી શકે છે અને 1 એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે છે. નોંધનીય છે કે, આગામી નવા સુધારેલા જંત્રી દરો માટે તમામ રિયલ એસ્ટેટ અને રોકાણકારોની નજર રાજ્ય સરકારની જાહેરાત પર ટકી છે.

આપણ વાંચો: જંત્રી દરના વધારા સામે વિરોધની વચ્ચે રાજકોટમાં જંત્રી દરના વધારા માટેની અરજી!

રિયલ એસ્ટેટ બજારમાં તેજી

અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન અને સ્થાવર મિલકતોના ખરીદ-વેચાણના કરાર માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુતમ મૂલ્યને જંત્રી દર કહેવાય છે. સરકાર દ્વારા વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી પણ જંત્રીના આધારે નક્કી થાય છે. એટલે કે, જો સરકાર નવા દરોમાં વધારો કરે, તો જમીન ખરીદતા લોકો પર ટેક્સનો વધુ બોજ પડશે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ બજારમાં તેજી જોવા મળી છે.

ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરો અને શહેરોના વિસ્તરણ સાથે જમીનના બજારભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, હાલના જંત્રી દરો બજારભાવની સરખામણીએ ઓછા હોવાથી, સરકાર નવા દરો જાહેર કરવાની તૈયારી કરી છે.

આપણ વાંચો: Gujarat સરકારને સૂચિત જંત્રી માટે 11,046 સૂચનો મળ્યા, સૌથી વધુ જંત્રી દર ઘટાડવા સૂચનો

નવા જંત્રી દરો નક્કી થશે

રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિની રચનાઓ કરી હતી. આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજારભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ અભિપ્રાય આપશે. જે બાદ નવા જંત્રી દરો નક્કી થશે.

જમીન ખરીદી વધુ વ્યાજબી બની શકે

નવા જંત્રી દરો દ્વારા રિયલ એસ્ટેટ માર્કેટ, બિલ્ડર્સ, રોકાણકારો, સામાન્ય ઘર ખરીદનાર અને કૃષિ જમીન ધરાવતા ખેડૂતો પર સીધી અસર પડશે. જો નવા દરો વધશે, તો જમીન ખરીદવા માટે વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. આથી, રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે અને જો બજારભાવની સરખામણીએ જંત્રી દરો ઓછા રાખવામાં આવશે, તો જમીન ખરીદી વધુ વ્યાજબી બની શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button