રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના પાંચ લોકો ગુમ, કુલ 6 લોકો સામે નોંધાઈ FIR

રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. ગઈ કાલે શનિવાર સાંજે 5.35 વાગ્યે લાગેલી આગ પહેલા તો સામાન્ય જણાઈ પણ આગ જોતજોતામાં તો એટલી વિકરાળ બની કે કોઈને જીવ બચાવીને ભાગવાની તક જ ન મળી.
આ દરમિયાન ગેમિંગ ઝોનમાં આગ લાગ્યા બાદ એક જ પરિવારના સાતમાંથી પાંચ લોકો ગુમ થયા છે. પરિવારના અગ્રણી ચંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મારા પરિવારના સાત લોકો ગેમિંગ ઝોનમાં હાજર હતા. આમાંથી બે સલામત છે. એકની ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બીજો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બાદ પરિવારના પાંચ સભ્યો લાપતા છે. અમારા પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જાડેજાએ જણાવ્યું કે તેમણે સાંજે ટીવી પર સમાચાર જોયા, પાંચ મિનિટ પછી મને ફોન આવ્યો કે વીરેન્દ્ર સિંહ અને અન્ય લોકો ગેમિંગ ઝોનમાં છે અને અમે અહીં આવ્યા છીએ. અમારા સંબંધીઓએ આખી રાત 25 હોસ્પિટલોમાં શોધખોળ કરી, પરંતુ કોઈ મળ્યું નહીં.
આ પણ વાંચો: Rajkot ના ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપી તપાસ માટે SIT ની રચના, પોલીસ ફરિયાદ દાખલ કરાઇ
એવું કહેવાય છે કે રાજકોટના ટીઆરપી ગેમિંગ જોનમાં તમામ લોકો સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યું હતું. ગેમિંગ ઝોનમાં જનારાઓએ પ્રવેશતા પહેલા અમુક શરતોનું પાલન કરવાની સહી કરવાની હતી. ગ્રાહક સાથે જે કંઈ પણ થશે તેના માટે ગેમિંગ ઝોન જવાબદાર રહેશે નહીં. આ પ્રકારના કાગળ પર અગાઉથી ગ્રાહકો પાસેથી સહીઓ લેવામાં આવતી હતી.
રાજકોટ ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ કેસમાં કુલ 6 લોકો સામે FIR નોંધવામાં આવી છે. FIR મુજબ અત્યાર સુધીમાં ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી, મેનેજર પ્રકાશચંદ્ર હિરણ, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની સામે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.