સુરત

સુરતમાં કરંટ લાગવાથી પતિ-પત્નીનું મોત, તાર પર સૂકવેલા કપડાં ઉતારવા જતાં સર્જાઇ દુર્ઘટના

સુરત : સુરત જિલ્લામાં એક કરુણ અકસ્માતમાં પતિ -પત્નીનું અવસાન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ
બુધવારે રાત્રે સુરત જિલ્લાના ગંગાધરા ગામમાં પતિ-પત્નીનું વીજળીનો કરંટ લાગવાથી મોત થયું છે. જેમાં અમલસાડી ગામના રહેવાસી પ્રતીક પટેલ પત્ની વિભૂતિ પટેલ સાથે ગંગાધરા ગામમાં તેમના સાસરીયામાં ગયા હતા.

પત્નીને બચાવવા જતાં વીજ કરંટ લાગ્યો

આ દુર્ઘટનાની માહિતી મુજબ બુધવારે રાત્રે વિભૂતિ ઘરની બહાર લોખંડના તાર પર સૂકવેલા કપડાં ઉતારવા ગઇ હતી. ત્યારે વાયરને સ્પર્શતાની સાથે જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેઓ નીચે પડી ગઇ હતી. પત્નીને વીજળીનો કરંટ લાગતો જોઈને પતિ પ્રતીક તેમને બચાવવા દોડ્યો પરંતુ તેમણે પત્નીને બચાવવાનો પ્રયાસ કરતા જ તેને પણ વીજ કરંટ લાગ્યો હતો.

આપણ વાંચો: ખેડામાં કૂવાની મોટરમાંથી વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત, પથંકમાં અરેરાટી વ્યાપી

આ દુર્ઘટના બાદ બંનેને બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ વિભૂતિને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરી દીધી. જ્યારે સારવાર દરમિયાન પ્રતીકનું મોત નીપજ્યું હતું.

પુત્રી અને જમાઈ બંનેનું એક જ ક્ષણમાં મૃત્યુ

આ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે. મૃતકની માતા પુષ્પા પટેલે જણાવ્યું કે આ અકસ્માત અચાનક કેવી રીતે બન્યો અને તેમની પુત્રી અને જમાઈ બંનેનું એક જ ક્ષણમાં મૃત્યુ થયું. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે તારમાંથી કપડાં ઉતારવામાં આવ્યા હતા તેમાંથી કરંટ પસાર થઇ હતો. આ અકસ્માત બેદરકારીને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button