સુરત

જન્મ દિવસને બનાવ્યો પોતાનો અંતિમ દિવસ! સુરતમાં 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જીવનલીલા સંકેલી

સુરતઃ સુરતમાં 9મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ભેસ્તાનના વિજય લક્ષ્મીનગરમાં એક 16 વર્ષીય આશુતોષ નામના છોકરાએ આત્મહત્યા કરી છે. આજે તેનો જન્મ દિવસ હતો. પરંતુ તેને જન્મ દિવસ હવે મરણ દિવસ પણ બની ગયો છે. જન્મ દિવસ હતો એટલે તેના પિતા તેના માટે કેક લઈને ઘરે આવ્યાં હતા. પરંતુ ઘે આવ્યાં ત્યારે દીકરાએ આત્મહત્યા કરી લીધી હતી. દીકરાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈને પિતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે શા કારણે આશુતોષે અકાળે પોતાની જીવનલીલા સંકેલી લીધી? તેની કોઈ ચોક્કસ જાણકારી પ્રકાશમાં આવી નથી.

ભેસ્તાન વિસ્તારમાં ગળાફાંસો ખાઈ દીકરીએ જીવનલીલા સંકેલી લીધી

સમગ્ર બાબતની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આોશુતોષના મૃતદેહને નીચે ઉતારીને પીએમ અર્થે મોકલીના આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારે પ્રકાશમાં આવશે. આ પરિવાર મૂળ ઓડિશાનો વતની છે અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી વિજય લક્ષ્મીનગરમાં રહેશે, મજૂરી કામ કરતા વિનોદ પ્રધાન પોતોના પરિવારનું ગુજરાન ચલાશે. પોતાના એકના એક દીકરાને વિનોદ પ્રધાને ગુમાવી દીધો છે. પરિવાર પર અત્યારે આભ પડ્યું હોય એટલું દુઃખ આવી પડ્યું છે. દીકરાનો જન્મ દિવસ હતો એટલે પરિવારના દરેક લોકો આશુતોષને શુભેચ્છાઓ આપી રહ્યાં હતાં.

આ પણ વાંચો -‏‏‎ કચ્છમાં ફરી એક વૃદ્ધ બન્યા સાયબર ફ્રોડનો શિકારઃ નવી મોડસ ઑપરેન્ડી તમે પણ જાણી લો

પળવારમાં પરિવારની ખુશીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ

આશુતોષનો જન્મદિવસ હતો એટલે પરિવાર ખુશખુશાલ હતો. પરંતુ પળવારમાં ખુશીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે આપેલી વિગતો પ્રમાણે 16 વર્ષીય આશુતોષ ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે, માતા ઘરકામ કરે છે અને મોટી બહેન અત્યારે હોસ્પિટલમાં નર્સની નોકરી કરે છે. આ પરિવાર અત્યારે સાવ વિખેરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આખરે શા કારણે આશુતોષે આત્મહત્યા કરી? આ સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button