સમયસર સારવાર મળી હોત તો બચી જાત! તપોવન આશ્રમશાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત

નવસારી: નવસારીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નવસારી જિલ્લામાં આવેલી તપોવન આશ્રમશાળામાં એક વિદ્યાર્થીનું રહસ્યમય રીતે મોત થયું છે.
મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના ખેતિયા ગામનો એક વિદ્યાર્થી પોવન આશ્રમશાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન તેનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 13 વર્ષીય વિદ્યાર્થી મેઘ શાહને રાત્રે છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. પરંતુ હોસ્પિટલ લઈ જવામાં નહોતો આવ્યો, જેના કારણે તેને મોતને ભેટવું પડ્યું.
આપણ વાંચો: વડોદરાની ચોંકાવનારી ઘટનાઃ માતાએ ઠપકો આપતા 13 વર્ષના વિદ્યાર્થીએ ભર્યું અંતિમ પગલું
સમયસર સારવાર ન મળવાને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ
ચોંકાવનારી વાત એ છે કે, હોસ્ટેલ સહાયકે આખી રાત વિદ્યાર્થીને ખોળામાં રાખીને તેની સંભાળ રાખી, પરંતુ હોસ્પિટલ લઈ જવામાં ના આવ્યો. આખી રાત તરફડેલા વિદ્યાર્થીને છેક સવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સમયસર સારવાર ન મળવાને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટના 24 મેની રાત્રે બની હતી. પરિવારે ગુનેગારો સામે કાર્યવાહી માટે પોલીસને અરજી આપી છે અને સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. જો કે, આ બાબતને ગંભીરતાથી લેતા હોસ્ટેલ મેનેજમેન્ટ દ્વારા સહાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આપણ વાંચો: મહિલાએ હોમ એપ્લાયન્સનો ઓર્ડર આપ્યો અને મળ્યો મૃતદેહ, જાણો શું છે આ ચોંકાવનારી ઘટના…
આરોપીઓ સામે કાર્યવાહી કરવાની પરિવારે કરી માંગણી
વિદ્યાર્થી મૂળ મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના ખેતિયા ગામનો રહેવાશી છે, અને નવસારી ખાતે અભ્યાસ કરવા માટે આવ્યો હતો. અહીં તારીખ 24મી મેની રાત્રે સંચાલકોની બેદરકારીના કારણે મેઘ શાહનું મોત થયું હતું. જેથી પરિવારે માંગણી કરી છે કે, આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કારણે કે, મોડી રાત્રે મેઘ શાહને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો, જેથી તેણે સંચાલકોને જણાવ્યું પણ હતું. પરંતુ સંચાલક રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી તેને ખોળામાં રાખીને બેસી રહ્યો પરંતુ સારવાર માટે હોસ્પિલટ ના લઈ જવામાં આવ્યો. સંચાલકની બેદરકારીના કારણે મેઘ શાહનું મોત થયું છે.