ભરુચ

ભરૂચ મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી: ૨૧ કરાર આધારિત કર્મચારી સસ્પેન્ડ, વધુ ૩ આરોપીઓની ધરપકડ!

અમદાવાદ: ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે તવાઈ બોલાવામાં આવી છે. આ કૌંભાંડમાં સામે કરાર આધારીત 21 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2 કર્મચારીના રાજીનામાં પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ફરજમાં બેદરકારીના આક્ષેપ સાથે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. જવાબદારી બરાબર ન નિભાવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડમાં કોન્ટ્રાક્ટર બાદ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી

ભરૂચમાં મનરેગા કૌભાંડમાં વધુ 3ની ધરપકડ
ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 3ની ધરપકડ કરવામાં આવી છે. જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઈટર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પિયુષ ઉકાળી અને જોધા સભાડની ધરપકડ કરાઈ છે. ગીર સોમનાથના જ શરમન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી હતી. બંન્ને એજન્સીઓ હીરા જોટવા સાથે જ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ મનરેગા કૌભાંડના તાર ગીર-સોમનાથ સુધી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 57 ગામમાં મનરેગા યોજનામાં 7 કરોડના ભ્રષ્ટાચાર મામલે સીટની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની બે એજન્સીના જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીના નામ ખુલ્યા હતા. એજન્સીઓએ ઓછુ મટીરીયલ સપ્લાય કરીને વધારે મટીરીયલ બતાવી કૌભાંડ કર્યુ હતુ. ત્યાર બાદ સીટની તપાસમાં હીરા જોટવાનું નામ ખૂલ્યું હતું.

આઉટસોર્સથી કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ બે એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા. પરંતુ કૌભાંડના બધા રૂપિયા હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા છે. હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલીને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે જ આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી છે. મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button