આપણું ગુજરાત

રાજકોટમાં આર્થિક તંગીથી ત્રસ્ત વૃદ્ધ દંપતીએ પુત્ર સાથે કરી આત્મહત્યા, ત્રણેયના મૃતદેહ ઓટો રિક્ષામાંથી મળ્યા

રાજકોટ: ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક વૃધ્ધ દંપત્તી અને તેમના 35 વર્ષીય પુત્રએ કથિત રીતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ત્રણ મૃતદેહોને પોલીસે મોટા રામપર ગામ નજીક એક ઓટો રિક્શામાંથી મેળવી છે. પોલીસને ઘટના સ્થળેથી મૃતકો દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ બુધવારે રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં એક વૃધ્ધ દંપત્તી અને તેમના પુત્રએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્રણેયના મૃતદેહ સવારે 10.15 વાગ્યે એક ઓટો રિક્શામાંથી મળી આવ્યા હતા.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, અને તેનાથી જાણવા મળે છે કે પરિવાર આર્થિક સંકટ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો હતો. આજ કારણે આ ત્રણેય લોકોએ આ પગલું ભર્યું હતું, તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કાદર મુકાસમ (62), તેની પત્ની ફરીદાબેન (59) અને વૃદ્ધ દંપતીના પુત્ર આશિક (35) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતક આશિક ઓટો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર