એસીબીએ છટકું ગોઠવી DILR કચેરીના સર્વેયર સહિત 3 લોકોને 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…

અમદાવાદઃ ગુજરાતમાં લાંચના કિસ્સાઓ વધી રહ્યાં છે. નાનામાં નાનામાં કર્મચારીથી છેક મોટા અધિકારીઓ લાંચ લેતા હોવાનું અનેક વખત પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં પાંચ લાંચ લેતા ત્રણ આરોપીઓની એસીબીએ રંગે હાથ ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગતો પ્રમાણે જમીનમાં કેજેપી દુરસ્તી સુધારો કરવાના કામ માટે રૂપિયા 5 લાખ રૂપિયાના માંગણી કરવામાં આવી છે. આ કેસમાં ગુજરાત એસીબીએ ડીઆઈએલઆર કચેરી વાડજમાં સર્વેચર ગૌતમ યાજ્ઞિક, દલાલ નવઘણ ડોડીયા અને મનિષ પગીની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

કેજેપી દુરસ્તી સુધારો કરવાના કામ માટે રૂપિયા 5 લાખ માંગ્યાં હતા
આરોપીઓની વિગતે વાત કરવામાં આવે તો, આરોપી (નંબર એક) ડી.આઇ.એલ.આર. કચેરી, ભીમજીપુરા, વાડજ, અમદાવાદ ખાતે સરકાર માન્ય લાયસન્સી સર્વેયર તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ ભરતભાઈ યાજ્ઞિક, આરોપી (નંબર બે) જમીન દલાલ નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા તથા આરોપી (નંબર ત્રણ) જમીન દલાલ મનિષ ધીરૂભાઈ પગીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓ સામે વિરુદ્ધ રૂપિયા 05,00,000ની લાંચ લેવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીએ આપેલી વિગતો પ્રમામે આરોપી નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા અને મનિષ ધીરૂભાઈ પગીની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી.

નવગણસિંહ ડોડીયા અને મનિષ પગીને લાંગ લેતા રંગે હાથે ઝડપ્યા
આરોપીઓએ ફરિયાદી પાસે કામ પૂરૂ કરાવવા માટે પાંચ લાખ રૂપિયા માંગ્યાં હતા. પરંત ફરિયાદી આ રૂપિયા આપવા માંગતો નહોતો. જેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ સમગ્ર કેસમાં આરોપીઓને ઝડપી પાડવા માટે એસીબીએ ઝટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતા બે આરોપીઓને રંગે હાથ ધરપકડ કરવામાં આવી. આ સાથે DILR કચેરીના સર્વેયર ગૌતમભાઈ ભરતભાઈ યાજ્ઞિકની પણ લાંચના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
