સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર, અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર, અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલ મુસાફરો માટે ખુશ ખબર છે. અત્યાર સુધી અમદવાદથી ઉપડતી અને અમદવાદ સુધી આવતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવશે. કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જર્દોશે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી.

ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જે અમદવાદથી ઉપડતી અને અમદાવાદ સુધી જ આવતી હવે રાજકોટ સુધી લંબાવવામાં આવશે.

આ ટ્રેન રાજકોટ થી શરુ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળી રહેશે. આ છ ટ્રેનનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વાસીને ક્યારે મળશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button