આપણું ગુજરાત

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર, અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલ મુસાફરો માટે ખુશ ખબર છે. અત્યાર સુધી અમદવાદથી ઉપડતી અને અમદવાદ સુધી આવતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવશે. કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જર્દોશે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી.

ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જે અમદવાદથી ઉપડતી અને અમદાવાદ સુધી જ આવતી હવે રાજકોટ સુધી લંબાવવામાં આવશે.

આ ટ્રેન રાજકોટ થી શરુ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ લાંબા અંતરની ટ્રેનોની સુવિધા મળી રહેશે. આ છ ટ્રેનનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વાસીને ક્યારે મળશે તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…