મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર હાલ મલાડ સ્વ. હરસુખલાલ ચુનીલાલ દલાલના ધર્મપત્ની મધુબેન (ઉં. વ. 76) તે મીતા પ્રફુલભાઇ ઘેલાણી, નયનાબેન કામદાર, હીના સમીરભાઇ પંડયા તથા સ્વ. કેતનના માતુશ્રી. તે મેંદરડા નિવાસી સ્વ. શારદાબેન વનેચંદભાઇ રવાણીના સુપુત્રી. તે ભાવિન, ધૈર્ય, દર્શિલ, કુંજ તથા તન્વીના દાદી-નાની. તા. 17-12-23ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા હાલ મુંબઇ જસવંતરાય અનોપચંદ પ્રેમચંદ શાહના પત્ની અ. સૌ. સરોજબેન (ઉં. વ. 76) તા. 17-12-23ના અરિહંતશરણ પામેલ છે. તે ભાવનગર નિવાસી સ્વ. ડો. જશવંતરાય મૂળચંદ શાહના સુપુત્રી. તે કવિતા હિરેન હર્ષદરાય સંઘવી (સાવરકુંડલા) તથા ડો. રુચિતા, શ્રીનિવાસ શાસ્ત્રી નીશતલા (બેંગલોર)ના માતુશ્રી. તે અરવિંદાબેન, સ્વ. જયાબેન, કોકિલાબેન, નલીનીબેન, ઇલાબેન તથા લીનાબેનના ભાભી. તથા સ્વ. રમણિકભાઇ, સ્વ. કુસુમબેન, ભાનુબેન તથા ડો. ભૂપતભાઇના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
વિઢના મહેન્દ્ર ભોજરાજ ઘેલાભાઇ શાહ (ગોસર) (ઉં. વ. 85) 16-12-23ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન ભોજરાજના પુત્ર. નીલમના પતિ. ફાલ્ગુન, સોનલ, છાયા, ચાંદનીના પિતા. આણંદજી, ધનબાઇ, પુષ્પાબેન, પ્રેમાબેન, અશોકના ભાઇ. સમાઘોઘા સુંદરબેન પોપટલાલના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિલમ મહેન્દ્ર શાહ, 72, વિજય, ગ્રાઉન્ડ ફ્લોર, રોડ નં. 25, સાયન (વેસ્ટ), મુંબઇ-22.
પુનડીના નિર્મલા મણીલાલ વીરા (ઉં. વ. 74) તા. 16-12-23ના અવસાન પામેલ છે. સ્વ. મુરીબેન ચાંપશી મણશીના પુત્રવધૂ. સ્વ. મણીલાલ ચાંપશીના પત્ની. મેરાવા સાકરબેન તેજશી રામજી, જબલપુરવાળાના પુત્રી. રમણીક, સ્વ. ઉષાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિર્મલા વીરા, બી-202, સિલ્વર સેંડ, પરીમલનગર, ગોરેગાંવ (વે.) 62.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
લીમડી, હાલ નાલાસોપારા સ્વ. સુરેખાબેન નંદલાલ કોઠારી (ઉં. વ. 82) તે 15/12/23ના અરિહંત શરણ પામેલ છે. તે કલ્પેશ તથા સંજયના માતુશ્રી. પિયરપક્ષે કસ્તુરચંદ નારાયણ ચંદ ખારાના દીકરી. જીવતીબેન, બકુબેન, અરુણાબેનના બહેન. સ્વ. ગંભીરચંદ ઉમેદચંદ શાહના ભાણી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા જૈન
પાળીયાદ, હાલ કાંદિવલી શશીકાંતભાઈ ઠાકરશીભાઈ શાહના ધર્મપત્ની ઉષાબેન શાહ (ઉં. વ. 70) તે 17/12/23ના અરિહંતશરણ પામેલ છે. તે વિરલ, મિત્તલ, કવિતા તથા મમતાના માતુશ્રી. મીનલ, ડોલી, પરેશ તુરખિયા તથા રાજેશ કોઠારીના સાસુ. રમેશચંદ્ર તથા શારદાબેન શાંતિલાલ શાહ, મીનાબેન બટુકભાઈ મહેતાના ભાભી. પિયરપક્ષે ધારી નિવાસી સ્વ. સવિતાબેન નરભેરામ મકાણીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી, શ્રી નગીનદાસ નાનચંદ મણિયારના પુત્ર હાલ કાંદિવલી સ્વ.બિપીનભાઈ (ઉં. વ. 81) તે વાસંતીબેનના પતિ. પ્રિયેશ, ઉર્મેશના પિતા. અબેદા, પાયલના સસરા. જૈમિન, આયુષ, પ્રેરિકાના દાદા. સ્વ. જયંતીભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. વસંતભાઈ, સ્વ. શશીકાંતભાઈ તથા સ્વ. મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ અજમેરાના ભાઈ. તે તા. 17/12/23ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશાશ્રીમાળી દેરાવાસી જૈન
પાલિતાણા, હાલ ઘાટકોપર માનકુવરબેન શાંતિલાલ કપાસીના સુપુત્ર ભુપેન્દ્ર કપાસી (ઉં. વ. 75) તે સુધાબેનના પતિ. ચંપકલાલ શાંતિલાલ, પ્રદીપ શાંતિલાલ, હંસાબેન હર્ષદરાઇના ભાઈ તા 18-12-23 સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે પૂર્વી, બરખા, દર્શના પિતાશ્રી. ધારી નિવાસી હાલ દિલ્હી ગુલાબચંદભાઈ હરજીવનદાસ ઘેલાણીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા 19/12/2023 ને મંગળવારે 4 થી 6. સ્થળ: ગ્રાન્ડ બેકવેટ હોલ ગ્રાઉન્ડ ફ્લોર, યુનિવર્સલ મેજેસ્ટીક , આર બી કે સ્કૂલ ની સામે, છેડા નગર, ચેમ્બુર.
સોરઠ વિસા શ્રીમાળી જૈન
ભાદાજાળીયા, હાલ મુલુંડ, પ્રવિણચંદ્ર પરમાણંદ રામાણીના ધર્મપત્ની. અ.સૌ. નયનાબેન (નીમુબેન) (ઉં.વ. 74) ના તા. 16-12-23, શનિવારના અરિહંત શરણ પામેલ છે. તેઓ નીરવ રામાણી, મનીષા કીર્તિકુમાર, રીટા પ્રકાશકુમાર, શિલ્પા દિવ્યેશકુમાર, ડિમ્પલ મનીષકુમાર, સ્વ. સોનલ ચેતનકુમારના માતુશ્રી. તથા પાર્વતી નીરવ રામાણીના સાસુ. નક્ષ તથા ધાનીકાના દાદી. સ્વ. ખુશાલચંદભાઈ, બળવંતભાઈ, વિનોદભાઈના ભાભી. પિયર પક્ષે પડધરી નિવાસી હાલ મુંબઈ વીરચંદ ઝવેરચંદ શાહની દીકરી. 14 દેવકરણ ભવન, વાસુપૂજ્ય જિનાલયની સામે, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સ્થા. વિસા શ્રીમાળી જૈન
વઢવાણ શહેર, હાલ (નવજીવન મુંબઈ) રમેશભાઈ વાડીલાલ દેવશી મહેતાના ધર્મપત્ની નીરાબેન (ઉં.વ. 75) તા. 17-12-23ના અરિહંતશરણ પામ્યા છે. તે હાર્દિક, નીશિથ અને હેમાલીના માતુશ્રી. અ.સૌ. પુનિતા, અ.સૌ. જલ્પા, શ્રીયુત રાજનભાઈ શાહના સાસુજી. સ્વ. વજુભાઈ, સ્વ. મનહરભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. કાંતાબેન છબીલદાસ સંઘવી, સ્વ. સરોજબેન સૂર્યકાંતભાઈ શાહના નાનાભાઈના પત્ની. મધુરીબેન જસવંતલાલ કપુરચંદ શાહના સુપુત્રી. અશોકભાઈ, ભરતભાઈ, રાજેન્દ્રભાઈ અને નૌકાબેન મહેશકુમાર કોઠારીના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વહેવાર બંધ રાખેલ છે. નિવાસ: નવજીવન સોસાયટી, બિલ્ડિંગ નં. 8-એ, લેમીંગ્ટન રોડ, મુંબઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…