મરણ નોંધ

જૈન મરણ

હરસોલ સતાવીસ વિશા શ્રીમાળી જૈન
અડપોદરા નિવાસી (હાલ ભાયંદર) ભીખાલાલ ચંદુલાલ વોરા (ઉં. વ. ૭૫) તે રંજનબેનના પતિ. તથા ચેતનભાઇ (સોનલબેન)- રીમા સતિષકુમાર શાહ-આરતી દક્ષેશકુમાર સંઘવીના પિતા. તથા મુકેશભાઇ (સંગીતાબેન) મધુબેન ધીરજલાલ શાહ, સ્વ. કિરણબેન-સ્વ. જયાબેન રાજેશકુમાર શાહના ભાઇ. તથા કુણાલ, ઉક્તિ, બીજલ અમીતકુમાર, ભવ્ય, વૃષ્ટિ, અક્ષત, ધાર્મિ, રચના, મીતના દાદા. તથા શ્ર્વસુર પક્ષે વાડીલાલ સોમચંદ સંઘવીના જમાઇ.તા.૩૦-૫-૨૪ના ગુરુવારના અરિહંત શરણ પામેલ છે. પંચ તીર્થ ભાવવંદના: તા. ૧-૬-૨૪ના શનિવારે સવારે૧૦થી ૧૨.ઠે. માહેશ્ર્વરી ભવન, ૭મે માળે, ફલાયઓવરની બાજુમાં, ભાયંદર (વેસ્ટ).

દશાશ્રીમાળી જૈન
લાઠી/સોનગઢ નિવાસી હાલ મુલુંડ શ્રી બળવંતરાય મણીલાલ દેસાઇના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૮૧) તે હિતેશ અને સુનીલના માતુશ્રી. નેહા અને તોરલના સાસુ. સલોની અને સ્મિતના દાદી. પિયર પક્ષે વાળુકડનિવાસી મગનલાલ કેશવજી મહેતાના દીકરી. સ્વ. દેવચંદભાઈ, મંગળાબેન, વિનોદરાય, મનહરલાલ તથા કિશોરભાઇના બહેન તા. ૨૯.૫.૨૦૨૪ના અરીહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા શનિવાર ૧લી જૂનના ૧૦.૩૦ થી ૧૨, ક્રાઉન હોલ, વિકાસ પેલેસ, ૭મા માળે, એન. એસ. રોડ મુલુંડ વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
ચુનડીના શામજી રતનશી દેઢિયા (ઉં. વ. ૮૮) તા. ૨૮-૫-૨૪ના અવસાન પામેલ છે. ભાણબાઈ રતનશીના પુત્ર. મણીબેનના પતિ. ભરત, ડિમ્પલ, કેકિનના પિતા. મણી, કલ્યાણજી, જવેર, લક્ષ્મી, જયવંતી, મનસુખના ભાઈ. હીરબાઈ ગાંગજીના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦.

ભુજપુરના પ્રવિણ માવજી દેઢીયા (ઉં. વ. ૬૭) તા. ૨૯-૫ના અવસાન પામેલ છે. વેલબાઇ, લક્ષ્મીબાઇ માવજી રાયશીના સુપુત્ર. પાનબાઇ, રવિલાલ, મોહન, દેવચંદ, તારાના ભાઇ. સાડાઉના શીવજી ખેતશી, ચુનડીના કુંવરજી હીરાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રવિણ માવજી, મોટી સાવલા શેરી, ભુજપુર-૩૭૦૪૦૫.

દેશલપુર (કંઠી)ના વિજય જાદવજી ભારાણી (ઉં. વ. ૭૫) તા. ૨૯-૫-૨૪ના અવસાન પામેલ છે. મણીબાઇ જાદવજીના પુત્ર. જયાના પતિ. મનેષ, રીંકુના પિતા. બિદડાના મોતીબેન શીવરાજ, ભુજપુરના મયુરી મગનલાલ, ગુંદાલાના જયા માણેકલાલ, રતીલાલ, ઉદયના ભાઇ. કાંડાગરાના મણીબાઇ શામજી ખીમજી છેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનેષ ભારાણી, એ/૩૧, અમીઝરા, મામલતદારવાડી લેન, વેલડન સલુનની સામે, મલાડ (વેસ્ટ), મુંબઇ-૬૪.

કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ માંડવી: નિર્મળાબેન શાહ તા. ૩૦-૦૫-૨૪ના અરીહંતશરણ પામેલ છે. તે સ્વ. નવનીત ચુનીલાલ શાહના પત્ની હાલ મુંબઈ (ઉ.વ. ૮૯) તે મંજરી રાજેન્દ્ર શાહ, મીના કિરણ મકવાણા તથા યામિનીના માતુશ્રી. રુચિ, રોનક – કેન્સી, સારાંશ – હિમિશાના નાની. ઉષાબેન શશીકાંતભાઈના ભાભી. સ્વ.ગુલાબબેન ઝવેરભાઈ ભણસાલીની દીકરી. શાંતાબેન ધીરજભાઈ ભણસાલી, પ્રવિણાબેન અરવિંદભાઈ ભણસાલીના બેન. પ્રાથનાસભા તથા લોકિક વ્યવહાર બંધ છે. સભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સોનગઢ નિવાસી હાલ દાદર સ્વ. બળવંતરાય અમૃતલાલ મહેતા (ઉં. વ. ૮૫) તા. ૨૬-૫-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લતાબેનના પતિ. આસુતોષ, પીયૂષ, શીલ્પાના પિતા. ભારતી, વૈશાલી, મુકેશભાઇના સસરા. સ્વ. શાંતિભાઇ, સ્વ. રમણભાઇ, સ્વ. ઇશ્ર્વરભાઇ, ભૂપતભાઇ, સ્વ. જશીબેન ભગવાનદાસ ભગત, સ્વ. લીલાવંતીબેન ચીમનલાલ દામાણી, સ્વ. ઇન્દુબેન દિપકભાઇ શાહના ભાઇ. સાહીલ, તરંગ, મૌસમી, ઉન્નતિના દાદા. સ્નેહાના દાદા સસરા. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધ્રોલ નિવાસી, હાલ ઘાટકોપર દીલીપભાઇ મણીલાલ પારેખના ધર્મપત્ની રીટાબેન (ઉં. વ. ૬૮) તે સ્વ. જયાબેન હિંમતલાલ દોશીના પુત્રી. તે હેમાંગ, હેરલના માતુશ્રી. અ. સૌ. હેતલના સાસુમા. તનાયા, માયશાના દાદી. સ્વ.જયેશભાઇ, જયેન્દ્રભાઇ, ઇલા રમેશ પારેખ, રેણુકા રમેશ દેસાઇ, ભારતી મહેન્દ્ર કામદાર, જીનલ ઉદયન શાહના બેન. મંગળવાર તા. ૨૮-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩૧-૫-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. ત્રીધા બેન્કવેટ, મહારાજા અગ્રસેન ભવન, ૯૦ ફીટ રોડ, ગારોડિયા નગર , ઘાટકોપર (પૂર્વ).

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાગડ (રાણપુર ઝાલાવાડ) નિવાસી હાલ મલાડ સ્વ. જસવંતલાલ ત્રંબકલાલ લક્ષ્મીચંદ શાહના ધર્મપત્ની કનકલતાબહેન (ઉં. વ. ૯૨) તા. ૨૮-૫-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અંજના, સુનિતા, કૌશિક, દિવ્યેશના માતુશ્રી. તે ભરતભાઇ, અનિલભાઇ, ભાવનાબેન તથા નિલમબેનના સાસુ. તે સ્વ. દિપેન, રોમિત, વૈભવીના દાદી. તે હસુમતિબેન રસીકલાલ શાહ, સ્વ. મધુવનભાઇ, સ્વ. કીર્તિભાઇ, સ્વ. નિરંજનભાઇ, અનિલભાઇ, મુકુલભાઇ, જયોતિબેન અશ્ર્વિનભાઇ મણિયારના ભાભી. તે પિયરપક્ષે સાયલા નિવાસી સ્વ. રતિલાલ ધનજીભાઇ શાહના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો