ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલઘર, હાલ ઘાટકોપર સ્વ. ફતેચંદ છગનલાલ વારૈયાના પુત્ર સ્વ. રવિન્દ્રભાઈના ધર્મપત્ની ડોલરબેન (ઉં. વ. ૭૭) મંગળવાર, ૨૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસ્મીનબેન યોગેન્દ્રભાઈ શેઠ, સ્વ. કોશાબેન, ડિમ્પલબેન ધર્મેશભાઈ શેઠ, મીતલબેન મિહિરભાઈ શાહના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. ચીમનલાલ ચુનીલાલ પારેખ ભાવનગરના દીકરી. રજનીકાંતભાઈ, સ્વ. પંકજભાઈ, વર્ષાબેન, લીનાબેનના બેન. હિરાલી-કિશન, વિશ્ર્વા, માર્ગી, પાર્થ, વૈભવી, વિરાજના નાની.
ઝાલાવાડી સ્થા. વિશા શ્રીમાળી જૈન
ધ્રાંગધ્રા, હાલ કાંદિવલી જશવંતલાલ સંઘવી (ઉં. વ. ૮૬) ૨૪-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઘેલીબેન ભીખાલાલના પુત્ર. સ્વ. ભારતીબેનના પતિ. વિપુલ, સોનલના પિતા. સ્વ. અમૃતલાલ, સ્વ. કનૈયાલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. રસીકલાલ, સ્વ. રમણીકલાલ, હસમુખલાલ, સ્વ. પ્રભાબેન, સ્વ. કંચનબેન, સ્વ. સરોજબેનના ભાઈ. પાયલ તથા સમીરકુમારના સસરા. સ્વ. નરોત્તમદાસ ભુદરદાસ દોશી, ખાટડીવાલા હાલ સુરેન્દ્રનગરના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ હાલ કાંદિવલી નાથાભવાનવાળા જયાબેન વ્રજલાલ શાહ (તાળાવાળા)ના પુત્રવધૂ અ. સૌ. સરોજબેન (ઉં. વ. ૭૭) તે જિતેન્દ્રભાઈના પત્ની ૨૨-૧-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. સપના, નિરવ, ચિરાગના માતુશ્રી. ભાવેશકુમાર, કોમલ, હીરલના સાસુશ્રી. સ્વ. દિનકરભાઈ, સ્વ. સરોજબેન ચંદ્રકાંત દોશી, સ્વ. નરેન્દ્રભાઈ, સરયુબેન અજિતકુમાર ગોપાણી, કમલેશભાઈના ભાભી. ચીમનલાલ કેશવજીભાઈ શાહ (દેદાદરાવાળા)ના પુત્રી. પ્રાર્થનાસભા ૨૫-૧-૨૪, ગુરુવારના સાંજે ૩-૩૦ થી ૫-૦૦ કલાકે. ઠે: પાવનધામ, ડી-માર્ટની પાછળ, મહાવીર નગર, કાંદિવલી (વે.). ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બરવાળા (ઘેલાશા) હાલ જૂહુ સ્વ. કાંતાબેન મનસુખભાઈ ડગલીના પુત્રવધૂ સ્નેહલતાબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. દિનેશભાઈના ધર્મપત્ની. પરાગભાઈ, ચિરાગભાઈના માતુશ્રી. કાનનબેનના સાસુ. સલોનીના દાદી. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. નગીનભાઈ, જીતેનભાઈ, રશ્મિનભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. શારદાબેન ખીમચંદભાઈ દોશીના દીકરી મંગળવાર, ૨૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નરેડીના મુરજીભાઇ શાહ (નાગડા) (ઉં.વ. ૭૪) તા. ૨૩-૧-૨૪ના અવસાન પામેલ છે. વેજબાઇ ગાંગજીના સુપુત્ર. સ્વ. મુલબાઇના પતિ. મનોજ, કિર્તી, સ્વ. હીના, વનિતાના પિતા. હેમરાજ, હિરજી, ગોવિંદજી, ઉમરશી, કેસરબેન, જેઠીબાઇ, મણીબેન, હિરબાઇ, દેવકાબેન, પ્રેમા/પ્રજ્ઞાના ભાઇ. નાના રતાડીયા લક્ષ્મીબેન હિરજી વેલજી ગડાના જમાઇ. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. સં. સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨થી ૩.૩૦.
રતાડીયા ગણેશના મેઘજી મઠું છેડા (ઉં.વ. ૮૩) ૨૦-૧-૨૪ના અવસાન પામેલ છે. નાનબાઇ મઠુના પુત્ર. સ્વ. ચંચળ (જવેર)ના પતિ. રાજેન, તુષારના પિતા. મોંઘીબેન, જવેરબેનના ભાઇ. લુણીના નાનબાઇ હીરજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી.
ફરાદીના પુરબાઇ ગાલા (ઉં.વ. ૯૫) તા. ૨૩-૧ના દેહપરિવર્તન કરેલ છે. લક્ષ્મીબેન માલશીના પુત્રવધૂ. ટોકરશીના પત્ની. હીરબાઇ, મુલચંદ, વિમળા, દીપેન, સં.પ.પૂ.સા. શ્રી હીતગુણાશ્રી, મનોજના માતુશ્રી. બિદડા દેવકાબેન રામજીના પુત્રી. ભાણજી, કલ્યાણજી, ભારાપર મોંઘીબેન જેઠાલાલ, કોડાય ભાણબાઇ વીરજી, ફરાદી ભાનુબેન જાદવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: મનોજ ગાલા, એ/૨૩, શિંદેવાડી, ૧લે માળે, ડો. આંબેડકર રોડ, હિંદમાતા, દાદર-૧૪.
દશા શ્રીમાળી બેતાલીસ જૈન
વડસ્મા નિવાસી હાલ અંધેરી કિર્તીકુમાર ભોગીલાલ શાહ (ઉં.વ. ૮૧) તે મધુબેનના પતિ. ચેતન, મિતેષ, નીપાના પિતા. નયના, બીના, તેજસકુમારના સસરા. રમેશભાઈ, જીતુભાઇ, પ્રવિણાબેનના મોટાભાઈ. કરિશ્મા, શુભમ, ધ્વનિ, પ્રણિત, રીયા, જયના દાદા તે ૧૯/૧/૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જેતપુર નિવાસી હાલ કાંદિવલી અનિલકાંત (ઉં.વ. ૮૪) તે ૨૩/૧/૨૪ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. મનસુખલાલ કપૂરચંદ દોશીના પુત્ર. હંસાબેનના પતિ. કેતન, રાકેશ, નીરજના પિતા. સ્વ. ધારીણી તથા મેઘનાના સસરા. સ્વ. કિશોરભાઈ, સ્વ. સુમનભાઈ, ધીરેનભાઈના ભાઈ. સ્વ. નંદલાલ હરિલાલ મહેતા તથા સ્વ. ચંદનબેન નરોત્તમદાસ પારેખના બનેવી. પ્રાર્થનાસભા ૨૫/૧/૨૪ના રોજ ૩ થી ૫ કલાકે પાવનધામ, મહાવીર નગર, બી સી સી આઈ ગ્રાઉન્ડ સામે, કાંદિવલી વેસ્ટ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધુંનડા, મોરબી નિવાસી હાલ ગોરેગામ સ્વ. રવિચંદભાઈ અમરભાઈ મહેતાના સુપુત્ર જગદીશભાઈ (ઉં.વ. ૭૧) તે મંજુલાબેનના પતિ. અપૂર્વ અને મયુરના પિતા. રેખાબેન અને જયશ્રીબેનના સસરા. તે ઉર્વશી અને દિયારાના દાદા. તે રેવાશંકર પાનાચંદ મહેતાના જમાઈ. રવિવાર, તા. ૨૧-૧-૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થના સભા ગુરૂવાર, તા. ૨૫-૧-૨૪ના સાંજે ૪.૩૦ થી ૬.૦૦. સરદાર વલ્લભભાઈ પટેલ હૉલ (જવાહર નગર હૉલ) એસ.વી.રોડ, ગોરેગામ (વે).
જામનગર વિસા ઓસવાલ જૈન
શ્રીમતી આશાબેન મનોજભાઈ શાહ (ઉં.વ. ૭૦) ૨૩/૧/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શ્રી મનોજભાઈ શાહના ધર્મપત્ની. સ્વ. અશ્રુબેન વેણીલાલ શાહની પુત્રવધૂ અને સ્વ. હેમલતાબેન નગીનદાસ શાહની સુપુત્રી. હાલ (મુંબઈ – અંધેરી). તે સ્વ. ઈન્દ્રવદનભાઈ, હેમંતભાઈ તથા દીનાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
