મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી જૈન
મોરબી-ટંકારા હાલ મુંબઈ શિરીષ વનેચંદ મહેતા (ઉં. વ. ૮૭) તે સ્વ. પદ્મનિબેનના પતિ. માધવી, રેશ્મા ઋષભ ગાંધી અને પુનિતના પિતાશ્રી. પૂર્વીના સસરા તા. ૧૮-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
દામનગર હાલ મલાડ, હસમુખરાય શિવલાલ અજમેરા (ઉં.વ. ૮૭), તા. ૧૭-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસીલાબેનના પતિ. તે રાજેશ, સ્વ. મનોજ, દીપા તથા સ્વ. શિલ્પાના પિતા. અમિતા, અલ્પા, અરુણ કુમાર મોદી, સંજય કુમાર ઝાટકીયાના સસરા. તે દેવલ, સંકેત, હર્ષિતના દાદા. માલપરા નિવાસી સ્વ. કમળાબેન અમરચંદભાઈ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૧-૯-૨૩ ને ગુરુવારના ૧૦ થી ૧૨ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી રોડ, બોરીવલી વેસ્ટ.
વડાલી શ્ર્વે. મૂ. જૈન
વડાલી હાલ (મલાડ) સ્વ. ભીખીબેન છોટાલાલ મહેતાના સુપુત્ર લલિતભાઈ (અમૃતલાલ) (ઉં.વ. ૮૫) જેઓ ઉષાબેનના પતિ. ભરત- કેતનના પિતાશ્રી. પુત્રવધૂ સ્વાતી – મીતા. પૌત્રી – જમાઈ પૂજા – પરાગ, વિરતી – મુલેન, અમી – હર્ષના દાદા મંગળવાર, તા. ૧૯-૯-૨૩ ને અરીહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા ૩ થી ૫. અશ્પી હૉલ, મારવે રોડ, નૂતન સ્કૂલની બાજુમાં, મલાડ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાનીખાખરના જયશ્રી લક્ષ્મીચંદ વીરા (ઉં. વ. ૫૨) તા. ૧૮-૯-૨૩ના અવસાન પામેલ છે. મા. લધીબાઈ કરમશી હીરજીના પૌત્રી. હેમલતા લક્ષ્મીચંદના સુપુત્રી. સ્વ. રાજેશ, નિતેશના બહેન. કોડાય ઉમરબાઈ હરીલાલના દોહિત્રી. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના શ્રી વ.સ્થા.જૈ. શ્રા. સં. સ. કરસન લધુ નિસર હોલ, દાદર (વેસ્ટ). ટા. ૪ થી ૫.૩૦.
દશા શ્રીમાળી સ્થા. જૈન
જૂનાગઢ હાલ સાંતાક્રુઝ (મુંબઈ) દિનેશચંદ્ર (બટુકભાઈ) રામજીભાઈ કોઠારી (ઉં. વ. ૮૨) તા. ૧૮-૯-૨૩ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે વર્ષાબેનના પતિ. ચેતનભાઈ-આશાબેન, વિપુલભાઈ-અલ્પાબેન, મનીશભાઈ-મનીશાબેન તથા રીટા પિયુશકુમારના પિતાશ્રી. સ્વ. કાંતાબેન મગનલાલ નાગોદ્રા, સ્વ. ગુલાલબેન જયંતીલાલ ગાંધી, સ્વ. કંચનબેન હસમુખલાલ, સ્વ. વિપિનભાઈના ભાઈ. શૈલ, પ્રિયાંશી, હીરના દાદા. સ્વ. પરસોતમ પ્રેમચંદ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૨-૯-૨૩ શુક્રવારના સ્ત્રી મંડળ હોલ, ટાગોર રોડ, પોદાર સ્કૂલની બાજુમાં, સાંતાક્રુઝ (વેસ્ટ). સમય સાંજે ૪ થી ૬.
ઝાલા. દશા શ્રી સ્થા. જૈન
ચોટીલા હાલ મુલુન્ડ, સ્વ. અમૃતલાલ શીવલાલ શાહ તથા જ્યોત્સનાબેનના સુપુત્ર અમરીશ શાહ (ઉં.વ. ૫૯), તે ઈલાબેનના પતિ, સોમવાર, તા. ૧૮-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રતિકના પિતા. અ.સૌ. જયશ્રી કમલેશ શેઠ તથા લીનાબેનના ભાઈ. તે વૃજલાલ કાનજી અજમેરાના જમાઈ તેમજ ભીખુભાઈ તથા ચંદ્રિકાબેનના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૬૦૭, સુનિતા આનંદ સોસાયટી, વૈશાલી નગર, પાઈપલાઈન મુલુન્ડ-વેસ્ટ.
પાટણ વિશા શ્રીમાળી જૈન
લીંબડીના પાડાના સ્વ. ગુણવંતલાલ બાપુલાલ શાહના ધર્મપત્ની જશવંતીબેન (ઉં.વ. ૯૪), જે કનાસાના પાડાના સ્વ. સંતુબેન કેશવલાલ શાહના પુત્રી. તે કિરણ, દિપક, નયના તથા છાયાના માતુશ્રી. તે નિશા, સુરેશભાઈ, સ્વ. મહેશભાઈ, દિનેશભાઈના સાસુ. તે કારિકા મિહિરભાઈ, મિકીતા મનીષભાઈ, રીતિકા રોનકભાઈના દાદી. તે સ્વ. બાબુભાઈ, શૈલેષભાઈ, સુશીલાબેન, સુરેખાબેન, અરૂણાબેન, ઉસ્મીતાબેનના બેન તા. ૧૮-૯-૨૩ પૂના મુકામે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દિપકભાઈ ગુણવંતલાલ શાહ, ૧૨-૭, ભવાની પેઠ, ૫૦૨, ઈન્દ્રપુરી, પૂના-૪૧૧૦૦૨.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો