મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
મહેન્દ્રભાઇ શંકરલાલ બલિયા (ઉં. વ. ૭૫) મૂળ ગામ નાગ્રેચા સ્વ. માતુશ્રી શાંતાબેન શંકરલાલ બલિયા મૂળ ગામ નાગ્રેચા હાલ મુલુંડ ચેકનાકાના પુત્ર શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે શશીકલા બેનના પતિ. તે માતુશ્રી સ્વ. જશોદાબેન લક્ષ્મીદાસ ચોથાણી મૂળ ગામ મુન્દ્રા હાલ મુલુંડના જમાઇ. પ્રહલાદભાઇ, ગોવિંદભાઇ, કાંતિભાઇ, સૌ. ભાવનાબેન મનોજભાઇ સોનેતાના ભાઇ. સૌ. રૂપલ રાજેશ મજેઠીયા, સૌ. મિતલ, પ્રિયેશ સોમૈયાના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી.
મોઢ વૈષ્ણવ વણિક
મોરબીવાળા સ્વ. દિનેશ હરિદાસ મણિયારના પત્ની ભારતીબેન દિનેશ મણિયાર (ઉં.વ. ૮૩) તા. ૨૩-૮-૨૪ના રોજ બેંગલોરમાં શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દિનેશભાઇના પત્ની. શૈલ અને બેલા મોદીના મમ્મી. સોનાલીબેન અને આતિશભાઇના સાસુ. તે સ્વ. મહેશભાઇ, સ્વ. સુરેશભાઇ અને વિનોદભાઇના ભાભી. તે નાસિકવાળા સ્વ. રસિકભાઇના પુત્રી.
કચ્છી લોહાણા
સ્વ. બચુભાઇ જમનાદાસ કોઠારી ગામ ગુંદીયારી હાલ મુલુંડના જયેષ્ઠ પુત્ર મૂળરાજભાઇ (ઉં. વ. ૯૦) સ્વ. હીરામણીબેનના પતિ. યોગેશભાઇ, સ્વ. હર્ષાબેન, ચંદ્રિકાબેન તથા ભાવનાબેનના પિતા. સ્મિતાબેન નીતીનભાઇ, સ્વ. મુકેશભાઇ, યોગેશભાઇના સસરા. સ્વ. મીઠાબેન લક્ષ્મીદાસ અનમના જમાઇ. જયસિંહભાઇ, સ્વ.વિજયભાઇ, સ્વ. નંદકુમાર, સ્વ. ચંદ્રકાંતભાઇ, હરીશભાઇ, રામચંદ્રભાઇ, સ્વ. દિવ્ય બાળાબેન, સ્વ. પ્રવિણાબેન, હેમલતાબેનના ભાઇ. તા. ૨૨ ઓગસ્ટ ૨૪ના ગુરુવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થના રવિવાર તા. ૨૫ ઓગસ્ટ ૨૪ના ૫થી ૬.૩૦. ઠે. બ્રહ્માંડેશ્ર્વર ભક્ત મંડળ હોલ, જવાહરલાલ નહેરુ રોડ, આર્ય સમાજ હોલની પાછળ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
સ્વ. વેલજીભાઇ ભાણજીભાઇ બારૂ (ઠક્કર)ના ધર્મપત્ની ગં.સ્વ. દમયંતીબેન (ઉં.વ.૮૪) કચ્છ ગામ મોટી વિરાણી (હાલે કિલ્લા પારડી વલસાડ) તા. ૧૯-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે નરેન્દ્રભાઇ (બબા)ગં. સ્વ. નીતાબેન નરેન્દ્રભાઇ તન્ના, રમેશભાઇ, મહેન્દ્રભાઇના માતુશ્રી. સ્વ. તુલસાબાઇ નાનજી લક્ષ્મીદાસ આઇયા કચ્છ ગામ દેવીસરવાળાની પુત્રી. સ્વ. મનોરમાબેન, સ્વ. પ્રતિમાબેન, મમતાબેનના સાસુમા. સ્વ. લીલાવંતીબેન વેલજીભાઇ, સ્વ. કલ્યાણજીભાઇ, સ્વ. હીરાબેન મોરારજીભાઇ, સ્વ. ગોકલદાસભાઇ, સ્વ. વિમળાબેન હીરજીભાઇ, સ્વ. ટોકરશીભાઇ, સ્વ. ગોવાલજીભાઇ, સ્વ. શાંતાબેન ઉમરશી, મોહનલાલના ધરમશીના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૪ના રવિવારે ૩.૩૦થી ૪.૩૦. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, ૧લે માળે, આર. આર. ટી. રોડ, મુલુન્ડ (વેસ્ટ).
હલાઈ લોહાણા
સ્વ. સુરભીબેન કાનાણી (ઉં.વ. ૭૫) સ્વ. ભુપેન્દ્રભાઈ બાબુલાલ કાનાણીના પત્ની, મૂળ ગામ ગાગા હાલ ભાયંદર સ્વ. રામદાસ હરિદાસ તન્નાની દીકરી. સ્વ. બિપીનભાઈ, નીતિનભાઈ, દક્ષાબેન શાંતિભાઈના ભાભી. સ્વ. દીપક રામદાસ, સ્વ. બીના કિરીટ, મયુરી જયના મોટાબેન. સમીર, કેતન, જસમીના સંદીપ, દિપાલી યોગેશના માતૃશ્રી, શુક્રવાર, તા. ૨૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સમીર બી કાનાણી, ૩૦૩ અભિનંદન સોસાયટી, બકુલ સ્ટ્રીટ, ક્રોસ ગાર્ડન, ભાયંદર (વે).
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ લઠેડી હાલે ઘાટકોપર હર્ષદભાઈ સોનેજી (ઉં.વ. ૭૨) તા. ૨૨-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. રતનબેન જમનાદાસ સોનેજીના સુપુત્ર. જ્યોત્સનાબેનના પતિ. દમયંતીબેન છોટાલાલ નાનજી વીંછી, હર્ષા પ્રાણજીવન વીંછી ગામ બિદડાના જમાઈ. અમિત અને કેતનના પિતાશ્રી. નિશા અને આરતીના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૪ રવિવારના ૪ થી ૫. પાંજીવાડી, રેલવે સ્ટેશનની બાજુમાં, કાનજુરમાર્ગ ઇસ્ટ. દશાવ પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ ગામ નેત્રા હાલ ડોમ્બિવલીના પ્રફુલ્લાબેન મજેઠીયા (ઉં.વ. ૬૬) શુક્રવાર, તા. ૨૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હિરાબેન નાગજીભાઈ જોબનપુત્રાનાં દિકરી. કિર્તિકુમાર હંસરાજ મજેઠીયાનાં ધર્મપત્ની. મમતા તથા નિખીલના માતૃશ્રી. ગં.સ્વ. સરલાબેનનાં દેરાણી. જીતુભાઈ, અ.સૌ. હંસાબેન તથા ભાવનાબેનનાં ભાભી. પ્રીતેશ કુમાર બીપીનભાઈ ઠક્કર, નિપાબેનનાં સાસુ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૫-૮-૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. શ્રી સ્વામિનારાયણ મંદિર હૉલ, બીજે માળે, રાજાજી રોડ, રામનગર, ડોમ્બિવલી ઈસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી મોઢ વણિક
સ્વ. નયનાબેન મેહતા (ઉં.વ. ૬૯) ભાયંદર નિવાસી તા. ૨૩-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અશોકભાઇ ચીમનલાલ મેહતાના પત્ની. દક્ષેત, બંસરીના માતુશ્રી. કાજલ, કેતનકુમારના સાસુ. સ્વ. માધવલાલ ઝવેરચંદ મેહતાના પુત્રી. ભાવનાબેન પ્રદીપભાઇ પરીખના ભાભી. દ્રીશ અને ઉત્સવીના દાદી. પ્રાર્થનાસભા ૨૫-૮-૨૪ના ૪ થી ૬, લીરા બેન્ક્વેટ હોલ, વી પાવર જિમની પાસે, બેવરલી પાર્ક, ઓફ મીરા- ભાયંદર રોડ, કનકીયા, મીરારોડ (પૂર્વ).
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ, સિદ્ધપુર સંપ્રદાય
અશ્ર્વિનભાઈ મહાશંકર શુકલ (ઉં.વ. ૭૮) ગામ મૂડેટી હાલ મુંબઈ તે દક્ષાબેનના પતિ. ફાલ્ગુની, કાશ્મીરા, સોનલ, નચિકેતના પિતાશ્રી. પ્રવિણાબેન નારાયણ શુક્લનાં ભત્રિજા. ડૉ. રજનીકાંત, મહેશ, સ્વ. જતીન, ઉમેશ, ગિરીશ, સ્વ. મિલન, ઉષા ચંદ્રકાંત, અરુણા ધર્મેન્દ્ર, રેખાબેનના ભાઈ. સ્વ. લક્ષ્મીબેન જયંતીલાલ જાનીના જમાઈ. તા. ૨૨/૮/૨૪ના ગુરુવારના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા કે સાદડી પ્રથા રાખેલ નથી.
કપોળ
અમરેલીવાળા હાલ મુંબઈ સ્વ. છોટાલાલ પ્રેમજી સંઘવીના ધર્મપત્ની ગં.સ્વ. પ્રાણકુંવરબેન (ઉં.વ.૧૦૦) તા.૨૩/૦૮/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નટુભાઈ, કિશનભાઇ, રવિન્દ્ર, બકુલ, સ્વ.પુષ્પાબેન શશીકાંત બુસા, લતાબેન હસમુખરાય મહેતા,બીના નવનીતરાય ગોરડિયાના માતુશ્રી. સ્વ.નયનાબેન, જ્યોતિ, સ્વ.રૂપા, અને સ્મિતાના સાસુ, પિયરપક્ષે અમૃતલાલ કેશવજી પારેખના દીકરી. તે ભાવિન, કુણાલ, અંકિત, રોનક સ્વ.જયના દાદી. સાદડી રવિવાર ૨૫/૦૮/૨૪ના ૪ થી ૬. પાવનધામ પીઝાહટ લેન મહાવીરનગર કાંદિવલી વેસ્ટ.
પાટણ ખત્રી સમાજ
પાટણ નિવાસી હાલ બોરીવલીના ડો. દિનેશભાઇ વાડીલાલ ભગત (ઉં.વ.૮૨) ૨૩/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોત્સ્નાબેનના પતિ. ખુશ તથા મોનિકાના પિતા. સંગીતા તથા ધર્મેન ભાવસારના સસરા. હિયાના નાના. પ્રાર્થનાસભા ૨૫/૮/૨૪ના ૧૦ થી ૧૨. કોરાકેન્દ્ર હોલ, ગોલ્ડન ડેલિકેસી હોટલ પાસે, દળવીનગર, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
કચ્છી રાજગોર
ગામ મસ્કા હાલે ગોરેગામ નિવાસી ડૉ. હસમુખ મહેતા (ઉ.વ.૭૦) તા.૧૯-૦૮-૨૪ના અક્ષરનિવાસ પામેલ છે. તે સ્વ.અ.સૌ. ગંગાબેન અને સ્વ.કુંવરજી નારાયણજી મહેતાના સુપુત્ર. ઉષાબેનના પતિ. પિનાક અને સંકેતના પિતાશ્રી. કોમલ અને શ્ર્વેતાના સસરા. વસંત કુંવરજી મહેતાના ભાઈ. પ્રાર્થનાસભા રવિવાર તા.૨૫/૮/૨૪ના ૪ થી ૬, આઈ.એમ.એ. હોલ, ચંદન સિનેમા પાસે, જેવીપીડી સ્કીમ, જુહુ, મુંબઈ. બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…