મરણ નોંધ

હિન્દુ મરણ

ગં. સ્વ. ઈન્દુમતી મણિલાલ પંચાલ (ઉં. વ. ૭૨) ૯-૧૦-૨૩, સોમવારના રંગ શરણ થયા છે. તે સ્વ. મણિલાલ મંછારામ પંચાલ (ગામ પરીયા)ના ધર્મપત્ની અને માધુરીબેન, ભાવીની અને સંજય મણિલાલ પંચાલના માતુશ્રી. (હાલ ચેમ્બુર નિવાસી) અને મહેશભાઈ, કેતનભાઈ અને વૈજંતીના સાસુજી અને ક્રિશના દાદી. ચંદ્રકાન્ત વલ્લભભાઈ પંચાલના નાના બેન. પ્રાર્થનાસભા ૧૩-૧૦-૨૩, શુક્રવારના ૪ થી ૭ નીચેના સરનામે રાખી છે. પીયર અને સાસરા પક્ષ બંનેની સાદડી સાથે છે, લૌકિક વહેવાર બંધ છે. ઠે. સહ્યાદ્રી લોન, વૃંદાવન કોલોની, આરએસ મની સુપર માર્કેટની સામે, તીલકનગર, ચેમ્બુર.

ગોસ્વામી મુલગર સેજગર (ઉં. વ. ૯૨) કચ્છ ગામ ચીયાસર હાલે મુલુંડ ચેકનાકા ૮-૧૦-૨૩ રવિવારે કૈલાશવાસ પામ્યા છે. તે સ્વ. લાલગર, સ્વ. રમાબેન શંભુગીરી, સ્વ. અનસૂયાબેન જેરામ ગીરી- હંસાબેન, હેમલતા ભરતગીરી, સવિતાબેન દિલીપગીરી, ગં. સ્વ. અમીતાબેન જયેષ્ઠાગીરીના પિતા. સ્વ. જેઠીગર, સ્વ. હીરાગરના નાનાભાઈ. સ્વ. લક્ષ્મીબેન અને ઉમરપૂરી ગામ ચીયાસરના જમાઈ. કરશનપુરી ઉમરપુરી હાલે માધાપરના બનેવી.

હાલાઈ લોહાણા
વેરાવળ નિવાસી હાલ કાંદિવલી સ્વ. ગોવિંદજીભાઈ મોરારજીભાઈ ધનેયાના ધર્મપત્ની સવિતાબેન (ઉં.વ. ૭૯), તે ભરતભાઈ, સ્વ. રાજેશભાઈ, નયનાબેન હિતેશકુમાર કાનાબાર, નીતા લલીતકુમાર કોટેચાના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. હંસરાજભાઈ તન્ના-ગડુવાળાના દિકરી. તે ગં.સ્વ. મુક્તાબેન હરીદાસ ધનેયાના દેરાણી. તે ક્રિષ્ના, વૈભવ, અંકિતના નાનીમા તા. ૧૦-૧૦-૨૩, મંગળવારના ગૌલોકવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

ઝાલાવાડી સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ધ્રાંગધ્રા નિવાસી હાલ મુંબઈ સરલાબેન દવે (ઉં.વ. ૮૯) તે રમેશચંદ્ર જયાનંદ દવેના ધર્મપત્ની. તૃપ્તિ (સ્વીટુ) તથા મનીષીના માતુશ્રી. કૃષ્ણભાઈ ઐયર, સર્જિતાના સાસુ. કામાક્ષી, હિમજા, વામાંના દાદી. સ્વ. અરવિંદભાઈ ત્રિવેદી તથા ભારતી ઠાકરના બહેન. ૧૦/૧૦/૨૩ના રોજ દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
હંસાબેન હસમુખલાલ કાનાબાર (ઉં.વ. ૬૦) તે સ્વ. હસમુખલાલ છગનલાલ કાનાબારના ધર્મપત્ની. સ્વાતિના સાસુ. પ્રતીક, વૈશાલી, હિરલ તથા હેમાલીના માતુશ્રી. સ્વ. દેવચંદ કેશવજી વિઠલાણીના દીકરી. મનસુખભાઇ, પ્રભુદાસભાઈ, ભરતભાઈ, અનિલભાઈના બહેન. ૧૦/૧૦/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૧૦/૨૩ના ૧૦ થી ૧૨ કલાકે લોહાણા મહાજનવાડી, બેવાર્લી પાર્ક, કનકીયા રોડ, મીરા રોડ ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી હસમુખરાય પ્રાણલાલ પારેખના ધર્મપત્ની હર્ષદાબેન (ઉં.વ. ૭૯) તે જયેશ, ચિત્રા, પૂનમ, પારૂલ ભાવેશ કાણકિયા તથા ભાવેશ ચિતલિયાના માતુશ્રી. જયાબેન અનંતરાયના ભાભી. જાફરાબાદવાળા સ્વ. ધરમદાસ ત્રિભોવનદાસ સંઘવીના દીકરી. ભગવાનદાસ, સ્વ. મૃદુલાબેન, નીલાબેન, રંજનબેન, કલ્પનાબેનના મોટાબેન. ૯/૧૦/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૨/૧૦/૨૩ના રોજ ૫ થી ૭ કલાકે રૂપ નગર, એસ. વિ. રોડ, મંજીઠીયા નગરની સામે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

ઘોઘારી લોહાણા
મૂળગામ સાવરકુંડલા નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. મંજુલાબેન ચંદ્રકાન્તભાઈ તન્ના (ઉં.વ. ૮૧) તે ૧૦/૧૦/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે અમરેલીવાળા સ્વ. મણીબેન બેચરદાસ રાયચુરાના દીકરી. ગં. સ્વ. રૂપાબેન રાજેન્દ્ર રાચ્છ, અજય તથા અભયના માતુશ્રી. રિદ્ધિ તથા મનીષાના સાસુ. ઐશ્ર્વર્યા, રીયા તથા શિવાનીના દાદી. લેખા તથા પ્રણવના નાની. પ્રાર્થનાસભા ૧૨/૧૦/૨૩ના ૫ થી ૭ કલાકે લોહાણા મહાજવાડી, પહેલે માળે , શંકર મંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.

દશા સોરઠિયા વણિક
ગોલાધર નિવાસી હાલ ભિવંડી શરદચંદ્ર પાનાચંદ સાંગાણીના ધર્મપત્ની સ્વ. ભાનુમતીબેન (ઉં.વ. ૭૭) શનિવાર, તા. ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. નયનાબેન પ્રદીપકુમાર મહેતા, સૌ. કૈલાશબેન જીતેન્દ્રકુમાર સાંગાણી, સૌ. તૃપ્તીબેન પીયુષકુમાર શેઠ, કિરણના માતુશ્રી. સ્વ. ભાગીરથીબેન પાનાચંદ સાંગાણીના પુત્રવધૂ. ગં. સ્વ. ભારતીબેન રસિકલાલ માંડવીયાના ભાભી. સ્વ. ચંપાબેન જમનાદાસ ગગલાણીના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૨૩, ગુરુવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઓશવાળ સાગર વાડી, અંજૂર ફાટા, ભિવંડ
ી.
ઘોઘારી મોઢ વણિક / કપડવંજ દશા પોરવાડ વણિક
લોવેશ અનિલભાઈ વોરા (ઉં.વ. ૪૫) તે સ્વ. કુમુદબેન અનિલભાઈ વોરાના પુત્ર. હેમલબેનના પતિ. વ્રજના પિતા. પ્રિતી સિદ્ધુજીના ભાઈ. અરુણાબેન હરેશભાઈ પરીખના જમાઈ તા. ૯-૧૦-૨૩, સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૨-૧૦-૨૩ના ૪ થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર હોલ, સરીતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ગરોડીયા નગર, ઘાટકોપર પૂર્વ.
ઘોઘારી મોઢ વણિક
ગં. સ્વ. હરબાળાબેન પ્રાણલાલભાઈ પારેખ (ઉં.વ. ૯૪) તે સ્વ. સવિતાબેન આણંદજીભાઈ પારેખના દીકરી. સતિશ, મીનાના માતુશ્રી. વિનોદભાઈ બોઘાણી, કલ્પનાના સાસુ. સ્વ. નિર્મળાબેન જયંતીલાલ વોરા, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. જગદીશભાઈના ભાભી. રમાબેન, ઉષાબેનના જેઠાણી અમદાવાદ મુકામે તા. ૮ ઓકટોબરના અક્ષરવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

અનાવિલ બ્રાહ્મણ
વેડછા હાલ મુંબઈ પિયર ઉગત ગં. સ્વ. ભાનુમતી મનુભાઈ દેસાઈ (ઉં.વ. ૯૫) તે સ્મિતા રાજન દેસાઈ, રીટા પરેશચંદ્ર વૈદ્ય, નીતા (ગુડ્ડી)ના માતા. આનંદ, ઊર્જાના નાની તા. ૯-૧૦-૨૩ના દેવલોક પામ્યા છે. લૌકિક રિવાજ બંધ છે.

કચ્છી લોહાણા
ગુંદિયારી હાલે મુલુન્ડ મનીષાબહેન (ઉં.વ. ૭૧) તે સ્વ. કિશોરભાઈ દામજી ગણાત્રાના ધર્મપત્ની. સ્વ. મેનાબહેન પુરૂષોત્તમ તુલસીદાસ રામજી ભલ્લાની પુત્રી. ધવલભાઈના માતુશ્રી. હીનાબહેનના સાસુજી. હેમલત્તાબહેન મનુભાઈ, વિજયાબહેન વિજયભાઈ, સ્વ. રમીલાબહેન, સ્વ. રતનબહેન, કુસુમબહેનના ભાભી તા. ૧૦-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ના ૫.૩૦ થી ૭ સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
કચ્છ ગામ મુરુ હાલે ચેકનાકા થાણાના ગં. સ્વ. વસંતબેન દેવજી રૂપારેલ (ઉં.વ. ૮૪) તે સ્વ. દેવજી નથુરામ રૂપારેલના ધર્મપત્ની તા. ૯-૧૦-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. ખેરાજ નથુરામ રૂપારેલ, સ્વ. લીલાધર નથુરામ રૂપારેલના ભાઈના પત્ની. ગં. સ્વ. રૂકમીણીબેન મુલજી ધેરાઈ, સાવિત્રીબેન પ્રવિણ રાજદંતના ભાભી. સ્વ. દિનેશ, પ્રકાશ, મહેશ, ગં. સ્વ. મધુબેન કિશોર કતીરાના માતોશ્રી. સ્વ. ગોમતીબેન વાલજી તન્નાની વચટપુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૧૦-૨૩ના ૫.૩૦ થી ૭. પ્રાર્થનાસભા મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, ડૉ. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ). બહેનોએ તેજ દિવસે આવી જવું.

પાવરાઈ ભાટીયા
નિરોણાના હાલે મુંબઈ મનીષ આશર (ઉં. વ. ૫૨) તે સ્વ. પ્રતાપસિંહ- ગં. સ્વ. પ્રભાબહેનના પુત્ર. લક્ષ્મીદાસ દેવજી આશરના પૌત્ર. મહેન્દ્ર લક્ષ્મીદાસ આશર (સાંગલી), સ્વ. જયશ્રીબહેન જેઠાલાલ ભાટે, સૌ. માલતી ખટાઉ કાનાણી, સૌ. પન્ના કૃષ્ણકાંત ભાટીયા, ગં. સ્વ. મંજુ પ્રફુલ કલવાણી, સૌ. હેમુ જયેન્દ્ર સંપટના ભત્રીજા. પરેશ પ્રતાપસિંહ આશર અને મિથુન મહેન્દ્ર આશરના ભાઈ. સ્વ. ગોપાલદાસ હરિદાસ પાલેજાના દોહીત્ર ૧૦-૧૦-૨૩, મંગળવારના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૩.૧૦.૨૩ના સાંગલી સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી મોઢ
મોરબી હાલ ચર્નીરોડ બીપીનચંદ્ર ચીમનલાલ પારેખ ૧૧-૧૦-૨૩ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન ચીમનલાલ ગોરધનદાસ પારેખના પુત્ર તથા રંજનબેનના પતિ. જયોતિબેન ચંપકલાલ પરીખના ભાઈ. કવિતા અને કાશ્મીરાબેન દેવેન્દ્રકુમાર પવારના પિતાશ્રી. સ્વ. શાંતાબેન નાગરદાસ મોહનલાલના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઘાઘળી હાલ વિલેપાર્લે જયાબેન અને ભાઈશંકરભાઈ પંડ્યાના પુત્ર અનંતરાઈ પંડયા (ઉં. વ. ૮૮) ૯-૧૦-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. મુકુંદભાઈ, શરદભાઈ, રમેશભાઈ, રસિલાબેન, મંજુબેન, સુમનબેન તથા જયંતભાઈના ભાઈ. તે સ્વ. હંસાબેનના પતિ. તે બીના, તપનના પિતાશ્રી. તે સ્વ. પ્રમોદરાય શાંતિલાલ દવેના જમાઈ. પ્રાર્થનાસભા ૧૨-૧૦-૨૩ના ગુરુવારના ૫ થી ૭. સ્થળ: સંન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વે).

દશા સોરઠીયા વણીક
ગોલાધર હાલ ભીવંડી શરદચંદ્ર પાનાચંદ સાંગાણીના ધર્મપત્ની ભાનુબેન (ઉં. વ. ૭૭) તે શનિવાર, ૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. નયનાબેન પ્રદીપકુમાર મહેતા, અ. સૌ. કૈલાશબેન જીતેન્દ્રકુમાર સાંગાણી, અ. સૌ. તૃપ્તીબેન પિયુષકુમાર શેઠ તથા કિરણના માતુશ્રી. તે ફાલ્ગુનીબેનનાં સાસુ. તે સ્વ. ભાગીરથીબેન પાનાચંદ સાંગાણીના પુત્રવધૂ. ગં. સ્વ. ભારતીબેન રસીકલાલ માંડવીયાના ભાભી. સ્વ. ચંપાબેન જમનાદાસ ગગલાણીનાં પુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૨-૧૦-૨૩ના ૪ થી ૬. ઠે. ઓશવાળ સાગર વાડી, અંજુરફાટા, ભિવંડી.

લોહાણા
ગં. સ્વ. મધુબેન અતુલભાઈ માવાણી ૧૦-૧૦-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકાંતભાઈ તથા ચંપકલતાબેન માવાણીના પુત્રવધૂ. ગોકળદાસ થોભાણી તથા સુશીલાબેન થોભાણીના પુત્રી. ઉદય તથા ચેતન માવાણીના ભાભી. હીના ચેતન માવાણી, સ્મિતા ઉદય માવાણીના જેઠાણી. હેમલ તથા પાયલના માતુશ્રી. રીમા તથા પંકજ શકુજાના સાસુ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૨.૧૦.૨૩ના ૪ થી ૬. સ્થળ: શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વે).

કપડવંજ દશા પોરવાડ વણિક
લોપેશ અનિલભાઈ વોરા (ઉં. વ. ૪૫) તે સ્વ. કુમુદબેન અનિલભાઈ વોરાના પુત્ર. હેમલબેનના પતિ. વ્રજના પિતા. અરુણાબેન હરેશકુમાર પરીખના જમાઈ. નેહા તિમિરકુમાર દલાલ, પાયલ જિગર પરીખના બનેવી. ઈન્દુબેન કાંતિલાલ પરીખના પૌત્રી જમાઈ ૯-૧૦-૨૩, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૨.૧૦.૨૩, ગુરુવારે ૪ થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર હોલ, સરિતા પાર્ક, ૯૦ ફિટ રોડ, ગરોડીયા નગર,

ઘાટકોપર (ઈ.).
હાલાઈ લોહાણા
ગામ જામખંભાડીયા હાલ મુંબઈ તે સ્વ. કાન્તાબેન સ્વ. ગોરધનદાસ પરસોતમદાસ તન્નાના પુત્ર નવીન તન્ના (ઉં. વ. ૬૭) ૧૧-૧૦-૨૩ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે ભાવનાબેનના પતિ. તે ડૉ. નીરવ, હેમાલી (પીન્કી) દેવેન સુરુના પિતા. તે સ્વ. ઘનશ્યામ, કિશોર તથા દક્ષા (સોની) પ્રવિણકુમારના ભાઈ તથા કોમલ તન્નાના સસરા. સચિન, વીકેશ, ચિરાગ તથા વિનીતના કાકા. પ્રાર્થનાસભા ૧૨-૧૦-૨૩ને ગુરુવારે ૪ થી ૬. ઠે. શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ઠાકુરદ્વાર, મું-૨. લૌકીક વ્યવહાર બંધ છે.

અનાવિલ બ્રાહ્મણ
અ. સૌ. પન્નાબેન જયંતીલાલ દેસાઈ (ઉં. વ. ૭૧) ગામ ઊંટડી- હાલ મલાડ તે પુષ્પાબેન રમણભાઈ દેસાઈ વલસાડ પારડીની પુત્રી. અશ્ર્લેષા મનીષ ઠક્કર તથા ભાવેશના માતુશ્રી. ધાર્મિક અને પ્રથમના નાની. દિલીપભાઈ, હર્ષદભાઈ તથા અ. સૌ. અંજનાબેન, અ. સૌ. રન્નાબેન તથા અ. સૌ. પૂર્ણિમાબેનના ભાભી ૧૦-૧૦-૨૩ના રોજ દેવલોક પામ્યા છે. ઠે. ૫, ગોવિંદબાગ, રાધાકુંજ સોસાયટીની પાછળ, નોવેટીયા રોડ, મલાડ (પૂર્વ), મુંબઈ-૯૭. લૌકિક રિવાજ બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત