મરણ નોંધ

હિન્દુ મરણ

સુરતી વિશા લાડ વણિક
શ્રીમતી વિદુલાબેન દલાલ (ઉં. વ. 81) તે રાજેન્દ્ર ભાઈદાસ દલાલના પત્ની. તે નીલાંગ અને આનંદના માતુશ્રી. ફોરમ અને ક્રુતિના સાસુ. તે ખુશ્બુ, ક્રિશ, હેત્વી અને આંશીના દાદી. તે સ્વ. હસમુખગૌરી અને સ્વ. ધનસુખલાલ તાપીદાસ ચોકસીના દીકરી. તે સ્વ. ભાઈદાસ નગીનદાસ દલાલ અને સ્વ. ભાનુમતી ભાઈદાસ દલાલના પુત્રવધૂ 27-5-24ના સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. ઠે. ડી 403, વીણા સરગમ, મહાવીર નગર, કાંદિવલી પશ્ચિમ. લૌકિક પ્રથા બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. કાંતિલાલ અમૃતલાલ અને સ્વ. તારાબેન ધારિયા (માટલી)ના સુપુત્ર શ્રી. રૂપેનભાઈ (ઉં.વ.71) તે પુર્ણિમાબેનના પતિ. ઉમંગભાઈ તથા દિતીબેનના પિતાશ્રી. કવનબેન તથા બંદિશભાઈના સસરા. યુવરાજના નાના. ઓમીશાના દાદા. શોભનાબેન, મીરાબેનના ભાઈ. રવિવાર, તા. 26-5-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. 28-5-24ના 5.30થી 7.30. સ્થળ: વનિતા વિશ્રામ સ્કૂલ, એસ.વી.પી. રોડ, મુંબઈ-4 (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી રાજગોર
ગં.સ્વ. સરસ્વતી જોશી (ગામ-મોરજર) હાલ મુલુંડ નિવાસી (ઉં.વ. 68) તે સ્વ. પ્રકાશ જોશીના ધર્મપત્ની. તે સ્વ. આનંદીબેન મોહનલાલ જોશીના પુત્રવધૂ. તે ઈશ્વરી, કુંજલ, હિતેશ, બ્રિજેશના માતોશ્રી. તે સ્વ. લક્ષ્મીબાઈ પ્રેમજી જોશી (માતાના મઢવાળા)ના સુપુત્રી. તે સ્વ. રતિલાલ, શિવજીભાઈ, સાવિત્રીબેન તથા કલાવતીબેનના મોટાબેન. તા. 26-5-24ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. 28-5-24ના 5.00થી 7.00. સ્થળ: શ્રી કચ્છી રાજગોર મિત્ર મંડળ-મુંબઈ, 2જે માળે, લવકુશ બિલ્ડિંગ, મહાત્મા ગાંધી રોડ, પાંચ રસ્તા, મુલુંડ (પશ્ચિમ).
દશા શ્રીમાળી વણિક
દેવેન્દ્રભાઈ નવનીતલાલ દલાલ (ઉં.વ. 87) હાલ અંધેરી તે સ્વ. સુમતિબેનના સુપુત્ર. રક્ષાબેનના પતિ. સ્વ. પ્રીતિબેન ઉદયભાઈ શાહ, ફાલ્ગુનીબેન ભાવેશભાઈ ગાંધી અને શીતલબેન ચેતનભાઈ શાહના પિતાશ્રી. સ્વ. યશોધરાબેન બંસીભાઈ કીનખાબવાલાના જમાઈ. સ્વ. શ્યામભાઈ, સ્વ. કિશોરભાઈ, રવિન્દ્રભાઈ, હરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, દીપકભાઈ, હંસાબેન રણજીતભાઈ અને પલ્લવીબેન વિનયભાઈના મોટાભાઈ. તા. 26-5-24, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-5-24, મંગળવારના 5.00થી 7.00. સ્થળ: 1લે માળે, વિશ્વેશ્વર ભવન, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલે પાર્લે (વે).
સોમપુરા બ્રાહ્મણ
મૂળ ગામ ધ્રાંગધ્રા, હાલ થાણા સ્વ. કમલેશ ત્રિવેદી (ઉં.વ. 57) તા. 25-5-24, શનિવારે દેવલોક પામેલ છે. તે સ્વ. વસુમતિબેન અને સ્વ. પ્રવિણચંદ્ર ત્રિવેદીના પુત્ર. તે નિલેશ અને પરેશના મોટાભાઈ. તે શ્રીમતી રીટાબેનના પતિ. તે શશાંક અને અનુજના પિતા. તે સ્વ. ચંદ્રકાંતભાઈ શિવશંકર ત્રિવેદીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. 28-5-24, મંગળવારના 4થી 6. સ્થળ: શ્રી સ્વામીનારાયણ સત્સંગ ભવન, પાંચપખાડી, થાણા (વે).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…