મરણ નોંધ

હિન્દુ મરણ

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગાંગડા નિવાસી હાલ ભાયંદર અ. સૌ. હિના ભરત જોશી (ઉં. વ. ૫૪) તે કૃપા હિરેન વોરા તથા ક્રિષ્ણાનાં માતુશ્રી. રાજુલા હાલ (ભાયંદર) શાંતાબેન રતિલાલ અંબાલાલ ઓઝાની સુપુત્રી તા. ૧૩-૧-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. કસ્તુરબેન શામજી રતનશી ગણાત્રા ગામ તેરા હાલ મુલુંડના પુત્ર જનકના ધર્મપત્ની અ. સૌ. વીણાબેન (ઉં. વ. ૫૯) તે ગં. સ્વ. સરલાબેન રણછોડદાસ આઇયાના પુત્રી. તે સ્વ. ડો. કિશોર તથા ગં. સ્વ. દક્ષાબેન પ્રકાશભાઇની નાનીબહેન. અ. સૌ. માનસી રાહુલ પંચાલના માતુશ્રી. દીવમના નાની. ચિરાગભાઇના ફૂઇબા તા. ૧૫-૧-૨૪ને સોમવારે મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૧-૨૪ના બુધવારના ૫થી ૭. ઠે. ગૌપુરમ હોલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ), બૈરાઓ તે જ દિવસે આવી જવું, લૈકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા દશા ખડાયતા
મોડાસા નિવાસી હાલ કાંદિવલી મનહરલાલ સોમાલાલ શાહ (ઉં. વ. ૮૬) તે ૧૫/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. રાજેશભાઈ, સંજયભાઈ, રીટાબેનના પિતા. રાજેશકુમાર શાહ, સીમાબેન તથા કોમલબેનના સસરા. અનીશ-તેજસ્વી તથા મિતના દાદા. વિશલ તથા ખુશ્બુના નાના. તેમની પ્રાર્થનાસભા ૧૮/૧/૨૪ના ૩ થી ૫. શ્રી વર્ધમાન સ્થા જૈન સંઘ (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
માધવપુર ઘેડ નિવાસી હાલ નાલાસોપારા ગોપાલદાસ હરજીવન રતનશી વિઠલાણી (ઉં. વ. ૮૨) તે મુક્તાબેનના પતિ. ગોકળદાસ વશનજી મજીઠીયાના જમાઈ. જ્યોતિ, રાજેશ, ભાવેશના પિતા. જતીન રાબેરું, તૃપ્તિ, ભક્તિ (જુલી)ના સસરા. સ્વ. દેવચંદભાઈ, સ્વ. કાંતિલાલ, સ્વ. ત્રિભોવનદાસ, ગં.સ્વ મણીબેન, ગં.સ્વ શોભાબેનના ભાઈ. ઋષભ, પારસ, કેવલ, નીલના દાદા, દીપ તથા પાર્થના નાના ૧૪/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઇ સુથાર
સાયલા નિવાસી હાલ બોરીવલી સ્વ. પુષ્પાબેન તથા લક્ષમણ ધનજી કપૂરીયાના પૌત્ર તથા રેખાબેન સતિષભાઈ લક્ષમણભાઇ કપૂરીયાના પુત્ર અક્ષય કપૂરીયા (ઉં. વ. ૨૧) તે ૧૪/૧/૨૪ ના રામશરણ પામેલ છે. તે જગદીશ, સુરેશ, ગનુના ભત્રીજા. તૃપ્તિ સુદીપ મકવાણા, મયુર, વિવેક, પ્રણય, આકાશના ભાઈ. મોસાળપક્ષે વઢવાણ નિવાસી ગં.સ્વ. સવિતાબેન તથા સ્વ. દામોદરભાઈ ભગવાનદાસ પરમારના દોહિત્ર. તેમની બંને પક્ષની સાદડી તા.૧૮/૧/૨૪ ના ૪.૩૦ થી ૬.૦૦. ઈચ્છાપૂર્તિ એસઆરએ બિલ્ડીંગ, ચીકુવાડી, જોગર્સ પાર્કની બાજુમાં, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
કપોળ
હડમતિયાવાળા (રાજુલા) હાલ વિરાર સુરેશભાઈ મહેતા તે સ્વ. પ્રભુદાસ ડાહ્યાલાલ મેહતાના સુપુત્ર. પુષ્પાબેનના પતિ. ચેતન, અતુલ અને યામિનીના પિતાશ્રી. સ્મિતા, કવિતા અને હિરેનકુમાર શાહના સસરા. સ્વ. ચુનીલાલ, અનંતરાય, રમેશભાઈ, હર્ષદરાય, વામનભાઈ, સ્વ. પુષ્પાબેન શામળદાસ મહેતા અને સ્વ. સવિતાબેન હરકિશનદાસ કિકાણીના ભાઈ. સસરાપક્ષે ફોર્ટ સોનગઢ વાળા સ્વ. ક્ધહૈયાલાલ હીરાલાલ મહેતાના જમાઈ તા.૧૫/૦૧/૨૦૨૪, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૮/૦૧/૨૦૨૪ના ગુરુવારના. ૪ થી ૬. સ્થળ: બાલાજી બેંકવેટ હોલ, ગોકુળ ટાઉનશીપ, વિરાર (પશ્ર્ચિમ),
પાવરાઈ ભાટીયા
ચિ. મીત ગોકલગાંધી, (ઉં. વ. ૧૮) તા. ૧૬-૦૧-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. અ. સૌ. રાજેશ્રી રાજેશ ગોકલગાંધીના સુપુત્ર. સ્વ. ભારતીબેન ભગવાનદાસ ખીમજી ગોકલગાંધીના પૌત્ર. હૈદર – લેની, રીચર્ડના દોહિત્રા. અ.સૌ. ફાલ્ગુની મનોજ, સ્વ. નમ્રતા નિલેશ, અ.સૌ.કંચન કિરીટના ભત્રીજા, હિરેન, પાર્થ, કરણ, રિયાબેન, મન, મનનના ભાઈ. લોકિક વ્યવહાર બંધ છે.
રાજગોર બ્રાહ્મણ
મસ્કા માંડવી ઇશ્ર્વરલાલ (ઉં. વ. ૬૫) તે સ્વ. નર્મદાબેન કરસનદાસ મોતાના પુત્ર (માતાળા) જયશ્રીબેનના પતિ. શરદ તથા સ્વ. જીગરના પિતા. તેજલના સસરા. મંગળદાસ, કાંતિભાઇ, દિનેશ, રમેશ, નિતીન, લક્ષ્મીબેન લાભશંકર ઉગાણી તથા ભારતીબેન હીરાલાલ શિણાઇના ભાઇ. સ્વ. ગંગાબેન વિશનજી માકાણીના જમાઇ. તા. ૧૨-૧-૨૪ના રામશરણ પામેલ છે. સાદડી રાખેલ નથી.
ઉમરેઠ વીસા ખડાયતા
મૂળ ઉમરેઠના હાલ બાંદરા સ્વ. ડો. કેશવલાલ જમનાદાસ પટેલ તથા સ્વ. કાંતાબેન પટેલના સુપુત્ર. કિશોરભાઇ પટેલ (ઉં. વ. ૭૦) તા. ૧૪-૧-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કિરીટભાઇ, ડો. મહેન્દ્રભાઇ, યોગેશભાઇ, દિલીપભાઇ, જીતેન્દ્રભાઇ, દક્ષાબેન, જયશ્રીબેન, ચારૂલતાબેનના ભાઇ. હર્ષદકુમાર કાંટાવાળા તથા મનોજકુમાર ભાલકિયાના સાળા. સ્વ. કરુણાબેન, સ્વ. ડો. રાની પટેલ, વિજયાલક્ષ્મી બેન, સંધ્યાબેનના દિયર. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મૂળ ભાવનગર હાલ મુંબઇ ગં.સ્વ. જયમતીબેન તે દિનકર રાય દવેના પત્ની (ઉં. વ. ૯૧) તે મુળશંકર મગનલાલ ભટ્ટના દીકરી. તથા કપિલભાઇ, પ્રમોદભાઇ, સનતભાઇ, જયંતભાઇના બેન. તથા સ્વ. ઉમેશભાઇ, મહેશભાઇ, આશાબેન, વર્ષાબેનના માતુશ્રી અને પાર્થ, પૂજી, અંશના દાદીશ્રી તા. ૧૫-૧-૨૪ના કૈલાસવાસી થયા છે. લૌકિક પ્રથા
બંધ છે.
લોહાણા
જમનાબેન અને ગોપાળજીભાઇ ભાટે (ખાખરીયા)ના પુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૬૮) તે મુળગામ સાંગલી હાલ થાણા ભગવાનદાસ, રજનીકાન્ત, અનીલભાઇ, મહેન્દ્રભાઇ, જયંતભાઇ, અશોકભાઇ, કુસુમબેન રતિલાલ, વીણબેન વ્રજલાલ, હસુમતીબેન રમેશકુમાર, નીરુપાબેન ભરતભાઇ, દીપીકાબેન હસમુખલાલના ભાઇ. તે રમણીકલાલ વલ્લભદાસ રાજા ભિવંડીના જમાઇ. તે નિલેશ, લીનાના પિતા. તે સૌ. પૂજા, આકાશના સસરા. તે ભરતભાઇ રાઘવજી ઠક્કર (પવઇ)ના વેવાઇ. તે મંગળવાર તા. ૧૬-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા.૧૮-૧-૨૪ના ૪થી ૬. ઠે. સેલીબ્રેશન હોલ, અરણોદય બિલ્ડિંગ, ઇસ્ટર્ન એકસપ્રેસ હાઇવે, સર્વિસ રોડ, મોદી હુંડાઇ શોરૂમની પાસે, થાણા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત