મનોરંજન

‘વેલકમ-3’ માં ‘ઉદય શેટ્ટી’ અને ‘મજનૂ ભાઈ’ની જોડી કેમ જોવા નહીં મળે? ડિરેક્ટરે જણાવ્યું કારણ

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમાના ઘણા સ્ટાર્સ છે, જેમાં અક્ષય કુમારનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે નાના પાટેકર અને અનિલ કપૂર ‘વેલકમ 3’નો ભાગ નથી. ફિલ્મના દિગ્દર્શકે મહત્ત્વની વાત જણાવી છે.

અહેમદ ખાને તેમની આગામી એડવેન્ચર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી સહિત અનેક સ્ટાર્સને લીધા છે, જે કદાચ તાજેતરના વર્ષોમાં સૌથી મોટી સ્ટાર કાસ્ટ છે. જોકે, અનિલ કપૂર (મજનુ) અને નાના પાટેકર (ઉદય), જેઓ ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝના પહેલા બે ભાગોનો મહત્વપૂર્ણ ભાગ હતા, તેઓ તેના ત્રીજા ભાગમાં જોવા મળશે નહીં.

આ પણ વાંચો : ‘વેલકમ-3’નું ટીઝર થયું રિલીઝ, 19 વર્ષ બાદ રવિના-અક્ષય એકસાથે જોવા મળશે

એક ઇન્ટરવ્યુમાં અહેમદે કહ્યું કે એમાં વાંધો શું છે? મેં ‘બાગી 4’ નથી બનાવી. બીજા કોઈએ (એ. હર્ષ) બનાવી છે. હું ‘વેલકમ 3’ બનાવી રહ્યો છું, અને ‘વેલકમ’ અને ‘વેલકમ બેક’ના ડિરેક્ટર અનીસ બઝમીએ ‘ભૂલ ભુલૈયા 2’ અને 3 બનાવી હતી. પ્રિયદર્શને ‘ભૂલ ભુલૈયા’ના પહેલા ભાગનું દિગ્દર્શન કર્યું હતું. તેમનું માનવું છે કે કલાકારો અને દિગ્દર્શકોમાં ફેરફાર ફ્રેન્ચાઇઝીમાં નવું લાવે છે.

તે કહે છે કે ‘વેલકમ’માં અક્ષય કુમાર હતો. ‘વેલકમ બેક’માં જોન અબ્રાહમ હતો, ‘ભૂલ ભુલૈયા’માં અક્ષય હતો, અને હવે ‘ભૂલ ભુલૈયા 2 અને 3માં કાર્તિક આર્યન છે. તે કહે છે કે તમે કોઈ વસ્તુને અમુક હદ સુધી જ ખેંચી શકો છો, તે પછી તે તૂટી જાય છે. દરેક ફિલ્મની પોતાની મર્યાદાઓ હોય છે, પરંતુ ફ્રેન્ચાઇઝીની નથી.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાની ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના સેટ પર ગ્લેમરસ એન્ટ્રી

‘ખિલાડી’ ફિલ્મની ઘણી સિક્વલ બની હતી, પરંતુ કોઈનો પણ એકબીજા સાથે સીધો સંબંધ નહોતો. તેવી જ રીતે, ‘વેલકમ’ની સિક્વલમાં જોને અક્ષયની જગ્યા લીધી , જેનાથી વાર્તાની કડી તૂટી. હવે, અક્ષય તેનાથી પણ મોટા કલાકારો સાથે પાછો ફર્યો છે. તો, તે વેલકમ છે .

“વેલકમ ટુ ધ જંગલ” મૂળરૂપે આ વર્ષે ક્રિસમસની આસપાસ રિલીઝ થવાની હતી, પરંતુ તેની સત્તાવાર રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષના મધ્યમાં રિલીઝ કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button