મનોરંજનસ્પોર્ટસ

Virat Kohli-Anushka Sharma’s Son Akaayને મળશે લંડનની સિટીઝનશિપ? શું છે આ માટેનો નિયમ…

Indian Cricket Teamના ભૂતપૂર્વ કેપ્ટન અને King Kohli તરીકે ઓળખાતા Virat Kohli-Anuskha Sharmaએ લંડન ખાતે બીજા સંતાનને જન્મ આપીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને આ બાબતની જાણકારી આપી હતી. વિરાટે ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને દીકરાના જન્મની અને નામની જાહેરાત કરી હતી.

વિરાટે જણાવ્યું હતું કે તેમણે પોતાના દીકરાનું નામ અકાય રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાને પહેલાંથી જ એક દીકરી પણ છે જેનું નામ વામિકા છે. પુત્રરત્નના જન્મ બાદથી જ કપલને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓના ઢગલો મેસેજ મળી રહ્યા છે.
જોકે આ બધા વચ્ચે લોકોના મનમાં એવો સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું લંડનમા દીકરાને જન્મ આપવાને કારણે વિરાટ અને અનુષ્કાના લાડકવાયા અકાયને ત્યાંની સિટિઝનશિપ મળશે કે શું? ચાલો આપણે જાણીએ આ સવાલનો જવાબ…

સામાન્યપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને એ દેશની સિટીઝનશિપ આપવામાં આવે છે જ્યાં તેનો જન્મ થયો છે પણ આ માટે એ જરૂરી છે માતા-પિતા બંનેમાંથી કોઈ પણ એ દેશનો નાગરિક હોય. અલગ અલગ દેશના સિટીઝનશિપને લઈને અલગ અલગ નિયમ છે.

વિરાટ અને અનુષ્કાની વાત કરીએ તો બંને જણ પાસે ઈન્ડિયન સિટીઝનશિપ છે અને તેઓ માત્ર હોસ્પિટાલિટી અને બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે તેમણે લંડનમાં દીકરાના જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. આ જ કારણસર અકાયને લંડનમાં જન્મ્યા હોવા છતાં પણ યુકેની સિટીઝનશિપ નહીં મળે.

કોઈ એક દેશની નાગરિકત્વ ધરાવતી મહિલા બીજા દેશમાં જઈને બાળકને જન્મ આપે છે તો તેના સંતાનને એ બીજા દેશની નાગરિકતા જાતે જ નથી મળી જતી. વિરાટ અને અનુષ્કાના દીકરા અકાયના કેસમાં પણ આજ રૂલ લાગુ પડે છે. એવામાં જો અકાયને યુકેની સિટીઝનશિપ અપાવવી હશે તો વિરાટ અને અનુષ્કાએ પણ ત્યાંના સિટીઝનશિપ નિયમોનું પાલન કરવું પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા