મનોરંજન

‘કુમકુમ ભાગ્ય’નાં જાણીતા પીઢ અભિનેત્રી આશા શર્માનું નિધન

મુંબઈઃ અસંખ્ય ટીવી શો અને ફિલ્મોમાં કામ કરીને દર્શકોમાં લોકપ્રિય થયેલા પીઢ અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે. સિન્ટા (સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન)ના સત્તાવાર ટ્વિટર (હવે એક્સ) હેન્ડલે આજે બપોરે આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી.

આશાએ ફિલ્મોમાં અને ટેલિવિઝન પર માતા અને દાદીના રૂપમાં અનેક પાત્રો ભજવ્યા છે. તેમણે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ દો દિશાયેંમાં તેમના અભિનય માટે પ્રશંસા મેળવી હતી, જેમાં પ્રેમ ચોપરા, અરુણા ઈરાની અને નિરુપા રોય પણ હતા. તેમણે મુઝે કુછ કહેના હૈ, પ્યાર તો હોના હી થા, અને હમ તુમ્હારે હૈ સનમ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.

આ પણ વાંચો: જાણીતા ખેલફૂદ પત્રકાર અને ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ એડિટર દારા પોચખાનાવાલાનું નિધન

તેઓ છેલ્લે પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યા હતા. તેઓ કુમકુમ ભાગ્ય, મન કી આવાઝ પ્રતિજ્ઞા અને એક ઔર મહાભારત જેવા ટેલિવિઝન શોમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથરી ચુક્યા છે.

તેમના નિધન અંગે સંગઠને શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે નિધન અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અનેક ટીવી સિરિયલમાં કામ કરીને ઘરે ઘરે જાણીતા બન્યા હતા. ટીવી સિવાય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઈન્સ્ટ્રીમાં લગભગ ચાર દાયકા કામ કરીને ટીવી સિરિયલ સિવાય 40 ફિલ્મોમાં કામ કર્યું હતું.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…