મનોરંજન

સાઉથની જાણીતી ટીવી એન્કરે ભર્યું અંતિમ પગલું, ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો…

હૈદરાબાદઃ ટીવીની જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલીના નિધન વચ્ચે દક્ષિણ ભારતની જાણીતી ટીવી એન્કરના રહસ્યમય મૃત્યુના અહેવાલથી ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. સાઉથની લોકપ્રિય તેલુગુ ટેલિવિઝન એન્કર સ્વેત્ચા વોટરકર તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી.

આત્મહત્યા-હત્યાને લઈ તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જવાહરનગર બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના શુક્રવારે સવારે બની હતી, પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસ પ્રમાણે સ્વેત્ચા છતના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસને શંકા છે કે આ આત્મહત્યાનો મામલો છે! જોકે પોલીસ આત્મહત્યાની શંકાઓ કેસની તપાસ સાથે સાથે હત્યાની આશંકાએ પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
વિગતે વાત કરવામાં આવે તો પોલીસ તપાસ દરમિયાન કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી, જેથી આ કેસમાં હત્યા કેસમાં તપાસ કરવી કે નહીં? પ્રાથમિક તપાસ પ્રમાણે એન્કર માનસિક તણાવમાં હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. સ્વેત્ચા તેલુગુ મીડિયા ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્વેત્ચા મોટા ભાગે જાહેર મુદ્દાઓ અને સમાજને લગતી વિવિધ સમસ્યાઓ પર ટીવી ચેનલ પર શો કરતી હતી. એટલું જ નહીં, પરંતુ એન્કર સ્વેત્ચા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય હતી.

સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાશે
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે મોતના કેટલાક કલાકો પહેલા સ્વેત્ચા વોટરકટે સોશિયલ મીડિયામાં એક ભાવનાત્મક પોસ્ટ પણ શેર કરી હતી. આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હાલમાં પોલીસે કેસ નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલાની તપાસ માટે ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો
આ કેસમાં પોલીસે આપેલી જાણકારી પ્રમાણે સ્વેત્યાનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળી આવ્યો હતો. પરંતુ આ હત્યાનો કેસ લાગી રહ્યો છે. જેથી એ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, પોલીસને હજી કોઈ પુરાવા મળ્યા ના હોવાથી ઘટના હત્યાની છે કે આત્મહત્યાની તે મામલે ચોક્કસ કઈ કહી શકાય તેમ નથી. સાચી હકીકત પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ત્યારે સામે આવશે. અત્યારે તો લોકપ્રિય ટીવી એન્કરના અચાનક મોત અંગે ઈન્ડસ્ટ્રીના લોકો શોકમાં ગરકાવ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button