સોનાક્ષી-ઝહિરની પ્રથમ વર્ષગાંઠઃ પાર્ટીમાં ભાઈઓની નારાજગી ફરી નજરે ચડી

મુંબઈ: બોલિવૂડ જગતની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ગત 23 જૂનના લગ્નના તાતણે બંધાયા હતા. આ વર્ષે તેમની પ્રથમ લગ્ની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ સેલિબ્રેશન ખાસ ઝલક સોનાક્ષીના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જોવા મળી હતી. જેમાં બંનેની ખુશી અને રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી. આ પ્રાઇવેટ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા, પરંતુ સોનાક્ષીના ભાઈઓની ગેરહાજરીએ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
સોનાક્ષી-ઝહીરની જોડી
સોનાક્ષી અને ઝહીરે મુંબઈના તે જ સ્થળે પાર્ટીનું આયોજન કર્યું, જ્યાં તેમનું વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. બંનેએ સફેદ ડ્રેસમાં ટ્વીનિંગ લૂકમાં જોવા મળ્યા હતા. પાર્ટીમાં હુમા કુરેશી, રાજકુમાર રાવ, અને ફરાહ ખાન જેવા સ્ટાર્સે ધૂમ મચાવી. સોનાક્ષીની માતા પૂનમ સિન્હા અને ભાભી તરુણા અગ્રવાલ પણ હાજર રહ્યા, પરંતુ ભાઈ લવ અને કુશ તથા પિતા શત્રુઘ્ન સિન્હા ગેરહાજર હતા, જેણે નારાજગીની અટકળોને હવા આપી.
ઝહીરના સંસ્કારની ચર્ચા
પાર્ટીના વાયરલ વિડિયોમાં ઝહીર પૂનમ અને તરુણાને ગાડી સુધી છોડવા આવતા અને આશીર્વાદ લેતા જોવા મળ્યા. ચાહકોએ ઝહીરના સંસ્કારની પ્રશંસા કરી, જ્યારે ભાઈઓની ગેરહાજરી પર સવાલો ઉઠ્યા. ઘણાએ કહ્યું કે ભાભી તરુણા હજુ પણ સોનાક્ષીને પ્રેમ આપે છે. સોનાક્ષીએ શેર કરેલી તસવીરોમાં બંને શત્રુઘ્નના આઇકોનિક ‘ખામોશ’ સ્ટાઇલમાં પોઝ આપતા દેખાયા, જે ચાહકોને ખૂબ પસંદ પડ્યું.
સોનાક્ષીનું કામ અને નિવેદન
વર્કફ્રન્ટ પર સોનાક્ષીના ભાઈ કુશ સિન્હાની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘નિકિતા રોય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 27 જૂન, 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તે પરેશ રાવલ અને અર્જુન રામપાલ સાથે જોવા મળશે. ભાઈઓ સાથેના કથિત તણાવ અંગે IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કહ્યું, “હું આવી વાતો પર ધ્યાન આપતી નથી. આવી બાબતો વિશે હું વધુ વિચારતી નથી.” આ નિવેદનથી તેમણે ચર્ચાઓને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.