સોનાક્ષી સિંહાની ‘નિકિતા રોય’ને થિયેટરમાં સ્ક્રીન નહીં મળી, નિર્માતાઓએ લીધો આ નિર્ણય…

મુંબઈઃ અભિનેત્રી સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘નિકિતા રોય’ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ રિલીઝના એક દિવસ પહેલા જ તારીખ બદલી નાખી છે. હવે આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે નહીં. આ જાહેરાત સાથે, ફિલ્મની નવી રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. શું છે આ પાછળનું કારણ …
સોનાક્ષીની ફિલ્મ 27 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને બદલીને 18 જુલાઈ કરવામાં આવી છે. આ માટે એક પોસ્ટ શેર કરતા નિર્માતાઓએ લખ્યું હતું કે ‘અમે રિલીઝ અને સ્ક્રીન માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. તેથી અમારા શુભેચ્છકોની સલાહ માનીને અમે ફિલ્મની રિલીઝ 18 જુલાઈ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, જેથી અમે વધુને વધુ દર્શકો સુધી પહોંચી શકીએ.’
આ પોસ્ટમાં નિર્માતાઓએ એમ પણ લખ્યું છે કે, ‘અત્યાર સુધી ફિલ્મ માટે તમે જે અપાર પ્રેમ બતાવ્યો છે તે બદલ આભાર, પરંતુ તમારે થોડી રાહ જોવી પડશે, અને અમે તમને વચન આપીએ છીએ કે 18 જુલાઈ સુધી રાહ જોવાનું યોગ્ય રહેશે! થિયેટરોમાં મળીશું..’
આ ફિલ્મ દ્વારા સોનાક્ષી સિંહા લગ્ન પછી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી હતી. આ ફિલ્મનું નિર્દેશન અભિનેત્રીના ભાઈ કુશ સિંહાએ કર્યું છે. આ ફિલ્મમાં સોનાક્ષી સાથે પરેશ રાવલ, અર્જુન રામપાલ અને સુહેલ નૈયર જેવા દિગ્ગજ કલાકારો છે.તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાના લગ્ન ઝહીર ઇકબાલ સાથે થયા છે. લગ્ન પછી તે લાંબા સમય સુધી અભિનયથી દૂર રહી હતી. હવે, ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આપણ વાંચો :લગ્ન પછી સોનાક્ષી સિંહાને થયો મોટો ફાયદો, જાણો કઈ રીતે?