મનોરંજન

હેં…શત્રુધ્ન સિન્હાએ દીકરીને સંપત્તિમાં કોઈ હક નથી આપ્યો?

સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથે લગ્ન થઈ ગયા અને માતા-પિતાની હાજરીમાં રિસેપ્શન પણ થઈ ગયું, પરંતુ વિવાદો છે કે અટકવાનું નામ લેતા નથી. સોનાક્ષીએ માતા-પિતાની અનિચ્છા હોવા છતાં લગ્ન કર્યા હોવાના ઘણા અહેવાલો છે. શત્રુધ્ન સિન્હાએ આ મીડિયા અહેવાલો ને નકાર્યા પણ છે, પરંતુ હવે એક એવી માહિતી બહાર આવી છે જે પિતા-પુત્રીના સંબંધો વણસ્યા હોવાનો સંકેત આપે છે.

સોનાક્ષી પાસે પોતાનું એક સી-ફેસ ઘર છે. આ ઘરમાં અગાઉ તે ફોટોશૂટ કરતી હતી. હવે તે અહીં શિફ્ટ થવાની છે, તેવા સમાચાર પણ છે. આ ઘર સોનાક્ષીએ પોતે ખરીદ્યુ છે, પરંતુ અમુક રકમ પિતા પાસેથી ઉધાર લીધી છે.

જ્યારે બીજી બાજુ રિપોર્ટસ એમ કહે છે કે શત્રુઘ્ન સિન્હા કરોડોની સંપત્તિના માલિક છે અને તેમની પાસે 5 ઘર છે, પરંતુ સોનાક્ષીનો તેના પર કોઈ હક નથી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શત્રુઘ્ન સિન્હાની સંપત્તિ તેમની પત્ની અને બે પુત્રો ના નામે છે. સોનાક્ષીએ પોતાનું ઘર ખરીદ્યું અને તેના માટે તેણે તેના માતા-પિતા પાસેથી પૈસા લીધા પણ ફરી આપવાની શરતે. શત્રુઘ્ન પાસે સંપત્તિ, મકાન, કાર, જમીન, કોઈપણ વસ્તુની કમી નથી, પરંતુ તેની પુત્રીના નામે આ કંઈ નથી.

આ પણ વાંચો : ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….

શત્રુઘ્ન સિન્હા લોકસભા ચૂંટણીમાં આસનસોલથી જીત્યા છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં તેમની સંપત્તિ વિશે આપેલી માહિતી અનુસાર, તેઓ 210 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે 10.93 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે અને 10.40 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ તેમની પત્નીના નામે છે. તેમની કુલ સંપત્તિમાંથી 122 કરોડ રૂપિયા તેમના પોતાના નામે છે અને 155 કરોડ રૂપિયા તેમની પત્નીના નામે છે. તેમની પાસે 65.54 કરોડ રૂપિયાની કાર છે.

શત્રુઘ્ન સિન્હા પાસે 5 ઘર છે, એક મુંબઈમાં રામાયણ નામનું છે, તેની કિંમત 88 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘર તેમની પત્ની પૂનમ સિન્હાના નામે છે. આ સિવાય તેની પાસે પટનામાં એક, મહેરૌલીમાં એક, દેહરાદૂનમાં એક અને દિલ્હીમાં એક ઘર છે. તેની પત્ની સિવાય તેના બે પુત્રો લવ અને કુશનો તેના પર અધિકાર છે અને તેમાં સોનાક્ષીનું નામ સામેલ નથી.
રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિન્હાએ પોતાનું ઘર ખરીદવા માટે પિતા શત્રુઘ્ન સિંહા પાસેથી 11.58 કરોડ રૂપિયા અને માતા પાસેથી 4.77 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. તેના ઘરની કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે 4,628 સ્ક્વેર ફૂટમાં બનેલું છે. આ ઘર 16મા માળે છે. જોકે બીજા એક રિપોર્ટ અનુસાર સોનાક્ષીએ આ જ બિલ્ડિંગના 11મા માળે એક ઘર પણ ખરીદ્યું છે.

હવ ખબર નથી કે માતા-પિતાએ દીકરીને શું આપ્યું છે, પણ દીકરીએ પોતાનો સંસાર માંડ્યો છે અને તે સુખરૂપ ચાલે તેવી તેને શુભેચ્છા આપીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ