શું થયું છે શત્રુઘ્ન સિંહાને કે હૉસ્પિટલમાં છે દાખલ…

થોડા દિવસો પહેલા જ હોસ્પિટલની બહાર સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની કાર જોઈને બધા ચોંકી ગયા હતા. બધા આશ્ચર્યમાં હતા કે અચાનક એવું શું થયું કે લગ્નના 6 દિવસ પછી કપલ હોસ્પિટલની બહાર જોવા મળ્યું. પરંતુ હવે તેની સંપૂર્ણ માહિતી સામે આવી છે. એવા અહેવાલો છે કે શત્રુઘ્ન સિંહા ઘાયલ થયા છે, જેના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. સોનાક્ષી અને ઝહીર તેમને જોવા માટે જ ત્યાં પહોંચ્યા હતા. આ સમાચારને પહલાજ નિહલાનીએ પણ સમર્થન આપ્યું છે.
એમ જાણવા મળ્યું હતું કે શત્રુઘ્ન સિંહા રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ એક મીડિયા અહેવાલ મુજબ શત્રુઘ્ન તેમના ઘરના ડાઈનિંગ હોલમાં પડી ગયા હતા. અભિનેતા ઘણીવાર ઘરના ડાઇનિંગ હોલમાં સોફા પર બેસીને આરામ કરતા જોવા મળે છે. આ તેમનો ફેવરિટ ઝોન છે, જ્યાં તેઓ મોટાભાગના ઇન્ટરવ્યુ આપે છે.
જાણકારોનું કહેવું છે કે આ દુર્ઘટના 25 જૂને થઈ હતી. શત્રુઘ્ન સોફા પરથી ઊભો થતાં જ તેમનો પગ ધાર સાથે અથડાયો અને કાર્પેટને કારણે લપસી ગયો. શત્રુઘ્નની પુત્રી સોનાક્ષી નજીકમાં જ હાજર હતી અને તેણે તરત જ તેના પિતા તરફ મદદનો હાથ લંબાવ્યો, નહીંતર ઈજા વધુ ગંભીર બની શકી હોત.
આ પણ વાંચો: Sonakshi Sinha-Zahir Iqbalના લગ્નમાં બેકગ્રાઉન્ડમાં નાચી રહેલાં આ કાકા કોણ?
શત્રુઘ્નને તાત્કાલિક ઘરે સારવાર આપવામાં આવી અને તેમણે એક દિવસ ઘરે આરામ પણ કર્યો, પરંતુ તેમની પાંસળીમાં દુખાવો ઓછો થયો ન હતો, જેથી બીજા દિવસે સવારે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.
જેથી અન્ય તમામ ટેસ્ટ કરાવ્યા બાદ જાણી શકાય કે કોઈ આંતરિક ઈજા થઈ છે કે કેમ. જો કે, રિપોર્ટમાં બધુ નોર્મલ હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્નને આવતીકાલે એટલે કે સોમવારે રજા આપવામાં આવશે.
આ સમાચારની પુષ્ટિ તેમના ફિલ્મ મેકર મિત્ર પહલાજ નિહલાનીએ પણ કરી છે. તેઓ શત્રુઘ્નને મળવા હોસ્પિટલ ગયા હતા. પહલાજે જણાવ્યું હતું કે- હા, શત્રુઘ્ન હોસ્પિટલમાં છે. પરંતુ હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે. તેઓ કાલ સાંજ સુધીમાં ઘરે આવી જશે.
તાજેતરમાં જ શત્રુઘ્ન સિંહા તેમની પત્ની પૂનમ સિંહા સાથે પુત્રી સોનાક્ષીના લગ્નમાં પહોંચ્યા હતા. જોકે, પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે આ સંબંધથી નાખુશ છે, પરંતુ લગ્નના દિવસે તેમણે સજોડે હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા તેમણે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી.