મનોરંજન

શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પોસ્ટર રિલીઝ, ફિલ્મ ક્યારે રિલીઝ થશે જાણો?

મુંબઈઃ વધુ એક બોલીવુડ સ્ટાર કિડ હવે મોટા પડદે ડેબ્યૂની તૈયારી કરી રહી છે. શનાયા કપૂરની ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પોસ્ટર આજે રિલીઝ થઈ ગયું છે. સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરની ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ 11 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

shanaya kapoor vikrant massey

બોલીવુડના હિટ અભિનેતા વિક્રાંત મેસી સાથે શનાયા કપૂરની જોડી ખૂબ જ હિટ દેખાય છે. આ જોડીની ફિલ્મ હવે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. શનાયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં વિક્રાંત મેસી અને શનાયા રોમેન્ટિક શૈલીમાં ઘોડાના સ્ટેચ્યુ પર બેઠા છે અને પ્રેમમાં ડૂબેલા દેખાય છે.

શનાયા કપૂર ફિલ્મ “આંખો કી ગુસ્તાખિયાં”થી મોટા પડદા પર ડેબ્યૂ કરી રહી છે. શનાયા બોલિવૂડ અભિનેતા અને તેમના સમયના સ્ટાર સંજય કપૂરની પુત્રી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંતોષ સિંહ કરી રહ્યા છે.

shanaya kapoor debut film ankho ki gustakhiyan

ફિલ્મની સ્ટારકાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 11 જુલાઈએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે. શનાયા કપૂરે આજે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘બે હૃદય, એક પ્રેમ અને અસંખ્ય ગુસ્તાખીઓ. ફિલ્મનું ટીઝર કાલે રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે શનાયા કપૂર પોતાની ફિલ્મના પોસ્ટર રિલીઝ પહેલા ગાયક ગુરુ રંધાવા સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. ‘બાઇવ’ નામનું આ ગીત રિલીઝ થતાં જ ચર્ચિત બન્યું હતું. જોકે, આ ગીતમાં શનાયા કપૂરને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શનાયામાં અભિવ્યક્તિનો સંપૂર્ણ અભાવ છે. ગીતમાં શનાયાએ ફક્ત ડાન્સ સ્ટેપ્સ બતાવ્યા છે પરંતુ એક પણ અભિવ્યક્તિ સાથે મેળ ખાતી નથી.

shanaya kapoor song vibe guru randhawa

આ ગીત પંજાબી હિટ ગાયક ગુરુ રંધાવા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું. જેમાં શનાયાએ ડાન્સ કર્યો હતો અને વીડિયોમાં એક્ટિંગ પણ કરી હતી. આ ગીતમાં ટ્રોલ થયા બાદ હવે લોકો ફિલ્મની પણ રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શનાયા કપૂર પોતાની પહેલી ફિલ્મથી દર્શકોના દિલમાં સ્થાન બનાવી શકે છે કે નહીં.

ઝી સ્ટુડિયો અને મીની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ માનસી બાગલા અને વરુણ બાગલા દ્વારા નિર્મિત છે. તેનું દિગ્દર્શન સંતોષ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને વાર્તા માનસી બાગલા દ્વારા લખવામાં આવી છે. ‘આંખો કી ગુસ્તાખિયાં’ 11 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button