મનોરંજન

ગોવિંદાના જીવનની આ સિક્રેટ વાતથી તમે અજાણ હશો, જાણો શોકિંગ કિસ્સો!

મુંબઈ: આપણને બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીઓનું સ્ટારડમ દેખાય છે. પરંતુ લોકોને મનોરંજન પિરસતા સ્ટાર્સના જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. પરંતુ ટીવી કે સિનેમાના પડદા પરના તેમના હસતા ચહેરા પાછળનું દુ:ખ આપણને દેખાતું નથી. કબીર બેદીથી લઈને બી પ્રાક સુધી એવા ઘણા કલાકારો છે, જેમના બાળકો બહું કૂમળીવયમાં મૃત્યુ પામ્યા છે. ગોવિંદા પણ આવો જ એક અભિનેતા છે. જેમના ત્રણ પૈકી વચલા સંતાનનું જન્મના થોડાક મહિનાઓમાં અવસાન થયું હતું.

ગોવિંદાના જીવનની અજાણી વાત
11 ડિસેમ્બર 1987ના રોજ ગોવિંદાએ સુનિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ એટલે કે 1989માં તેમને ઘરે ટીના આહુજાનો જન્મ થયો હતો. ત્યારબાદ 1997માં દીકરા યશવર્ધન આહુજાનો જન્મ થયો હતો. પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે ટીનાના જન્મ બાદ તેમના ત્યાં એક દીકરી પણ જન્મી હતી. આ દીકરી વિશે ગોવિંદાએ 2002ના ગાળામાં આવતા ‘જીના ઈસી કા નામ હે’ શોમાં વાત કરી હતી.

4 માસની દીકરીનું થયું હતું અવસાન
‘જીના ઈસી કા નામ હે’ શોમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે, “બિટિયા રાનીનું અવસાન થયું, તે ખૂબ જ દુઃખદ ક્ષણ હતી અને તે કોઈપણ પરિવાર દુઃખદ હશે. મારી દીકરી અકાળે જન્મી હતી. તે ખૂબ કમજોર હતી, તેના ફેફસાંનો વિકસિત થયો ન હતો. તેથી તેના મૃત્યુ પછી, મારી માએ મને ગુજરાતની નર્મદા નદીમાં તેને વિસર્જન કરવાનો આદેશ આપ્યો.”

govinda jeena isi ka naam hai

નર્મદા નદીમાં કર્યું દીકરીનું વિસર્જન
માના આદેશ પ્રમાણે ગોવિંદા નવરાત્રિના નવમાં દિવસે પોતાની 4 મહિનાની દીકરીના મૃતદેહને લઈને નર્મદા નદીના કિનારે પહોંચ્યો હતો. આ સમય દરમિયાન, તેમણે રસ્તા પર એક ભિખારણને જોઈ હતી. આ ભિખારણ ખોળામાં બાળક રાખીને ભીખ માંગી રહી હતી. ભિખારણે ગોવિંદાની કારના કાચ પર ટકોર મારીને ભીખ માંગી. પરંતુ જ્યારે તેણે ગોવિંદાને તેની મૃત પુત્રીને ખોળામાં લેતા જોયો, ત્યારે તેણે પોતાના બાળકને તેની છાતીએ ચાંપી દીધું હતું.

ગોવિંદાને થયો ભિખારી જેવો અનુભવ
આ ઘટનાનો ઉલ્લેખ કરતા ગોવિંદાએ આગળ જણાવ્યું કે, ”ભિખારણે પોતાના બાળકને પોતાના હાથમાં લીધું અને મારી પાસેથી દૂર ચાલી ગઈ. ત્યારે મને એવું લાગ્યું કે હું ભિખારી છું અને તે માલિક છે. આ જ જીવન છે, તે તમને સ્ટારડમમાં પણ ભિખારી કરતાં પણ ખરાબ અનુભવ કરાવી શકે છે. ક્યારેક ગરીબી અને લાચારીમાં પણ બાદશાહ કરતાં પણ સારી વસ્તુઓ બતાવે છે.” ગોવિંદા આજે પણ પોતાની દીકરીને યાદ કરીને ભાવુક થઈ જાય છે અને એકાંતમાં રડી પડે છે.

આપણ વાંચો :એક હીરોની પત્ની હોવું એટલે…ગોવિંદાની પત્ની સુનીતાએ લગ્નજીવનના અનુભવ અંગે કરી ચોંકાવનારી વાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button