સલમાન ખાન કઈ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે? ‘ભાઈજાન’ના ખુલાસાથી ચાહકો ચોંક્યા!

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેની ફિલ્મોની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતા છે. પરંતુ, તાજેતરમાં જ તેણે કપિલ શર્માના શોમાં એક એવો ખુલાસો કર્યો જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. શો દરમિયાન તેણે જણાવ્યું કે, તે ઘણી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ સમાચારથી ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
‘ભાઈજાન’ને થઈ છે કઈ બીમારી?
મીડિયા રિપોર્ટસ પ્રમાણે સલમાન ખાન ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, બ્રેન એન્યુરિઝમ અને એવીએમ (આર્ટેરિયોવેનસ માલફોર્મેશન) જેવી ગંભીર બીમારીઓથી લડી રહ્યા છે. આ બીમારીઓના કારણે તેમને અસહ્ય પીડા અને આ બીમારીઓથી તેમણે હેલ્થ રિસ્કનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રેન એન્યુરિઝમ બીમારીના લક્ષણ શું છે?
બ્રેન એન્યુરિઝમ બીમારીમાં મગજની નસોમાં ફુગ્ગાવા જેવો ઉભાર થાય છે. આ રોગમાં નબળી નસો પર લોહીના દબાણથી આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે, જેને બ્રેન હેમરેજ કહેવાય છે. તેના લક્ષણોમાં તીવ્ર માથાનો દુખાવો, ચક્કર, ઉલટી, ઝઘડા અને ઝાંખું દેખાવું છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જિયા શું છે?
ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એ ચહેરા અને દિમાગ વચ્ચે સંદેશ પહોંચાડતી નસને લગતી સમસ્યા છે. આ નસ પર દબાણ કે નુકસાન થવાથી અસહ્ય દુખાવો થાય છે. આ રોગમાં ચહેરાની ચામડી એટલી સંવેદનશીલ બને છે કે સ્પર્શથી પણ કરંટનો ઝટકો લાગે છે. આ એક ક્રોનિક પેઇન ડિસીઝ છે, જેનું કારણ હજુ સ્પષ્ટ નથી.
આપણ વાંચો પોતાના ઉત્તરાધિકારીને લઈને Amitabh Bachchanએ કરી પોસ્ટ, Abhishek Bachchan વાંચશે તો..
શું છે એવીએમ રોગ?
એવીએમ એ મગજની રક્તવાહિનીઓનું અસામાન્ય જોડાણ છે, જે લોહી અને ઓક્સિજનના પરિભ્રમણને અસર કરે છે. આ સ્થિતિમાં દિમાગમાં રક્તસ્રાવનું જોખમ રહે છે અને તીવ્ર માથાનો દુખાવો થઈ શકે છે. આ રોગની સારવાર માટે ઘણીવાર સર્જરીની જરૂર પડે છે.