
મુંબઈઃ અમદાવાદમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટનાએ વિમાનની દુર્ઘટના આધારિત એક રોમાંચક ફિલ્મને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે. અજય દેવગન અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ શાનદાર 29 એપ્રિલ 2024ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિમાન દુર્ઘટનાની વાસ્તવિક ઘટના બતાવવામાં આવી છે. જાણો ફિલ્મની વાર્તા શું હતી અને તમે આ ફિલ્મ ક્યાં જોઈ શકો છો.
કલ્પના કરો આકાશમાં 35,000 ફૂટની ઊંચાઈએ એક વિમાન હવા સાથે વાતો કરી રહ્યું છે. અંદર 150થી વધુ જીવ શ્વાસ રોકીને બેઠા છે. બહાર, વાદળોની ગર્જના અને વીજળી પડી રહી છે, મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને જમીન પણ દેખાતી નથી. પાઇલટની એક ભૂલ અને બધું ખતમ થઈ શકે તેવી પૂરી શક્યતા!
આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો હતો MAYDAY Call, પછી શું થયું જાણો?
પણ એ વખતે કોકપીટમાં કેપ્ટન વિક્રાંત ખન્ના બેઠા છે, જે એક અનુભવી પાઇલટ છે જેને પોતાની કુશળતા પર ગર્વ છે અને કદાચ થોડો વધારે પડતો આત્મવિશ્વાસ પણ છે. આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી, પરંતુ 2015 ની વાસ્તવિકતા છે, જેને દિગ્દર્શક અને અભિનેતા અજય દેવગણ ‘રનવે 34’ના રૂપમાં મોટા પડદા પર લાવ્યા હતા.
ફિલ્મની શરૂઆત દુબઈથી કોચી જતી ડોમેસ્ટિક ફ્લાઇટથી થાય છે, પરંતુ કોચીમાં હવામાન એટલું બગડે છે કે ત્યાં લેન્ડિંગ અશક્ય બની જાય છે. મુશ્કેલ નિર્ણય લેવાનો વખત આવે છે, પાઇલોટ વિક્રાંત ખન્ના (અજય દેવગણ) અને તેના કો-પાઈલોટ તાન્યા (રકુલ પ્રીત સિંહ) વિમાનને ત્રિવેન્દ્રમ તરફ વાળવાનું નક્કી કરે છે, પરંતુ નસીબ અહીં પણ તેમનો સાથ નથી આપતું ત્રિવેન્દ્રમ પણ ગાઢ ધુમ્મસથી છવાયેલું છે.
આ પણ વાંચો: આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…
હવે પરિસ્થિતિ ગંભીર બને છે. બળતણ ખતમ થવાના આરે છે. પાઇલટ મે ડે (May Day)ની જાહેરાત કરે છે. આ પછી રોમાંચનો ખરો ખેલ શરૂ થાય છે, છ રાઉન્ડ, દરેક વખતે આશા અને ભય વચ્ચેની પાતળી રેખા વચ્ચે સાતમા પ્રયાસમાં આંધળું ઉતરાણ કરે છે અને અંતે બધા બચી જાય છે.
આ વાર્તા માત્ર એક ફિલ્મ નથી પરંતુ 18 ઓગસ્ટ 2015ની એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. જેટ એરવેઝની ફ્લાઇટ 9W 555 દોહાથી કોચી જઈ રહી હતી પરંતુ કોચી અને પછી ત્રિવેન્દ્રમમાં ખરાબ હવામાનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. સાતમા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું, પરંતુ તે ભારતીય ઉડ્ડયનમાં સૌથી ગંભીર સલામતી ઘટનાઓમાંની એક તરીકે ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ કોણ છે કેપ્ટન સુમિત સબરવાલ અને ક્લાઈવ કુંદર? કેટલો છે તેમનો અનુભવ…
આ ફિલ્મ કેપ્ટન વિક્રાંતના બોલ્ડ નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવે છે અને એ સવાલ ઉઠાવે છે ખુદ નારાયણ વેદાંત (અમિતાભ બચ્ચન), જે એક હિંમતવાન તપાસ અધિકારી છે જે સત્ય અને જવાબદારી વચ્ચેની પાતળી રેખા પર ન્યાય શોધે છે.
બિગ બીના આ શબ્દો લોકોના કાનમાં ગુંજે છે, ‘દરેક વ્યક્તિ ભૂલ કરે છે, પણ પોતાની ભૂલ સ્વીકારવી એ સાચા ચારિત્ર્યની નિશાની છે.’ તાન્યાનું પાત્ર ભજવતી રકુલ પ્રીત સિંહ માત્ર કો-પાયલટની ભૂમિકા જ ભજવતી નથી પણ તે ફ્લાઇટની સાક્ષી પણ છે.
કેપ્ટનનો પોતાના નિર્ણયોની જવાબદારી અને સત્ય વચ્ચેનો સંઘર્ષ ફિલ્મની લાગણીઓમાં વધુ ઊંડાણ ઉમેરે છે. તમે આ ફિલ્મ પ્રાઇમ વીડિયો અને એમેઝોન એમએક્સ પ્લેયર પર જોઈ શકો છો.