શ્વેતા તિવારીને મારવા પર રાજા ચૌધરીનો ખુલાસો: જાણો શું છે હકીકત?

મુંબઈઃ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને કારણે કાયમ ચર્ચામાં રહે છે. અભિનેત્રીના પહેલા લગ્ન અભિનેતા રાજા ચૌધરી સાથે થયા હતા. તેમના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવી હતી અને આખરે, આ લગ્ન તૂટી ગયા, પરંતુ તેમની વચ્ચેના લગ્નજીવનના ભંગાણ અંગે રાજા ચૌધરીએ નવા દવા કર્યા છે
આ લગ્નથી તેમને એક પુત્રી પલક તિવારી છે. શ્વેતાએ રાજા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે શ્વેતા અને રાજા પોતાના અંગત જીવનને લઈને ખૂબ ચર્ચામાં હતા.
હવે રાજા ચૌધરીએ આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યૂમાં રાજા ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય શ્વેતા પર હાથ ઉપાડ્યો હતો કે કોઈ પ્રકારની શારીરિક હિંસા થઈ હતી. આના પર રાજા ચૌધરીએ કહ્યું, ‘ના. કોઈ શારીરિક હિંસા થઈ નહોતી. મેં એક-બે વાર તેના ઘરના દરવાજા તોડી નાખ્યા હતા અને તે પણ અમે અલગ થયા પછી. તે પણ મૂર્ખાઈમાં થયું હતું. એ લોકોએ બહાર જ ઉભો રહે અંદર નહીં આવવાનું,એવું કહેવાની શું જરૂર હતી?
દરવાજો ખોલી નાખત. મેં અંદર જઈને આદરપૂર્વક વાત કરી હોત અને પછી જતો રહેત. પણ તેમનો ઈરાદો સામેની વ્યક્તિને ઉશ્કેરવાનો હતો. જાટની ખોપરી ખસકી ગઈ. દરવાજા તૂટ્યા. પોલીસ આવી. લોકોને વાર્તાઓ બનાવવામાં મજા આવે છે. ખોટી વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે.’
આપણ વાંચો Abhishek Bachchanએ ડિવોર્સ બાબતે તોડ્યું મૌન કહ્યું, અત્યાર સુધી હું…
તેણે આગળ કહ્યું, ‘રાજા ને એ રીતે રજૂ કરવામાં આવ્યો હતો કે,પહેલા વાત ફેલાવી હતી કે શ્વેતા તિવારીને તેના પતિએ માર માર્યો. શ્વેતા તિવારીના પતિને પોલીસ લઈ ગઈ. તમે એક માણસને ખલનાયક બનાવી દીધો. હિરોઈન તો આમ પણ પ્રખ્યાત છે. તે ટીવી શો કરી રહી છે. તે બધાની પ્રિય અભિનેત્રી છે. તેથી મારે ખલનાયક બનવું પડ્યું.
ટોળાની માનસિકતા ચાલી રહી હતી. હું તે સમયે દારૂ પીતો હતો. દારૂડિયા ક્યારેય બરાબર બોલી શકતા નથી. પણ વાત એટલી હદે વણસી ગઈ હતી કે હું દારૂ સિવાય બીજું કંઈ વિચારી પણ શકતો નહોતો. હું હતાશ થઈ ગયો હતો.’