મનોરંજન

સિંઘમ અગેઇન અને પુષ્પા-2 વચ્ચે મુકાબલો, ટ્રેડ એનાલિસ્ટોએ ટક્કરને ગણાવી ગંભીર

મુંબઇ: અજય દેવગણની ‘સિંઘમ અગેઇન’ અને પુષ્પા-2 વચ્ચે 15 ઓગસ્ટના રોજ જબરજસ્ત ટક્કર થવાની છે. રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’માં અક્ષય કુમાર, અજય દેવગન, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, રણવીર સિંહ અને કરીના કપૂર ખાન જેવા ધુરંધરો ધરાવતી તેમની મલ્ટી સ્ટારકાસ્ટ લઇને આવી રહ્યા છે, જ્યારે પુષ્પા માટે બસ એક અલ્લુ અર્જુનનું નામ જ પૂરતું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 15 ઓગસ્ટના રોજ રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મને લઈને એક અપડેટ શેર કરી છે. તેણે X પર લખ્યું, કોઈ પીછેહઠ નહીં… અફવાઓ પર ધ્યાન ન આપશો. ‘પુષ્પા-2’ ચોક્કસપણે 15 ઓગસ્ટને ગુરુવારે સિનેમાઘરોમાં આવી રહી છે. ‘સિંઘમ અગેઇન’ સાથેની અથડામણ ખૂબ જ તીવ્ર હશે. અજય દેવગન Vs અલ્લુ અર્જુન પુષ્પા 2 ધ રૂલ.


સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ લોકોના ધડાધડ રિએક્શન્સ આવી રહ્યા છે, એક યુઝરે લખ્યું, ‘ક્લેશ થઇને જ રહેશે!’ અન્ય એક યુઝરે લખ્યું, ‘સિંઘમ અગેઇન માટે બીજી કોઇ તારીખ પસંદ કરવી જોઇતી હતી.’ ‘પુષ્પા 2નો ક્રેઝ ભયાનક છે.’ અન્ય એક યુઝરે લખ્યું, 2024માં માત્ર એક જ ફિલ્મ જોવા જેવી હશે, અને તે છે, પુષ્પા 2. ફરીવાર ઉત્તર સામે દક્ષિણની જંગ જોવા મળશે.


મીડિયા અહેવાલો મુજબ, ‘સિંઘમ અગેઈન’ના સર્જક રોહિત શેટ્ટી ‘પુષ્પા 2’ની તારીખ બદલાય એ માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. ‘પુષ્પા 2’ની તારીખો બદલાશે તેવી અટકળો ખોટી ઠરી છે અને આ ફિલ્મ 15મીએ જ રીલીઝ કરવાનું એલાન થઈ ચૂક્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો