મારી બહેનો અને દીકરીએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે, આ લવજેહાદ છે? આમિરનો સીધો સવાલ

અભિનેતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મ સિતારે ઝમીન પરની રિલિઝને કારણે ચર્ચામાં છે. અભિનેતા રિલિઝ પહેલા વિવિધ ચેનલો અને પોડકાસ્ટ ઈન્ટરવ્યુ કરી રહ્યો છે ત્યારે એક ઈન્ટરવ્યુમાં તેણે સવાલોના બેબાક જવાબ આપ્યા છે.
આમિર ખાને પર્સનલ લાઈફમાં બે હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા છે અને બન્નેથી હવે ત અલગ છે. તો બીજી બાજુ તેની ફિલ્મ પીકેમાં પાકિસ્તાની મુસ્લિમ છોકરો અને ભારતીય હિન્દુ છોકરીના પ્રેમની વાત હતી. તે સમયે આ વાતનો ઘણ હોબાળો થયો હતો. આ મામલે આમિરે હવે ખુલીને જવાબ આપ્યો છે.
આમિરે કહ્યું છે કે પ્રેમ દરેક ધર્મથી ઉપર છે. દરેક હિન્દુ-મુસ્લિમ લગ્નો લવ જેહાદ નથી હોતા. મારી બહેન નિખતે સંતોષ હેગડે નામના હિન્દુ પુરુષ સાથે લગ્ન કર્યા છે, મારી નાની બહેન ફરહતે રાજીવ દત્તા સાથે લગ્ન કર્યા છે તો શું તે લવ જેહાદ છે. મારી દીકરી આયરાએ હિન્દુ નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા છે તો શું આને તમે લવ જેહાદ કહેશો તેવા સવાલ આમિરે પૂછ્યા છે.
આ પણ વાંચો - શું છે 12Aનું રેટિંગ, જે બ્રિટિશ સેન્સર બોર્ડે સિતારે ઝમીન પર ફિલ્મને આપ્યું છે?
આમિરે એમ પણ કહ્યું કે મે ક્યારેય મારી ફિલ્મોમાં કોઈ ધર્મની મજાક નથી ઉડાડી, પણ હું લોકોને જાગૃત કરવાનું કામ કરું છું. લાલસિંહ ચઢ્ઢા બાદ આમિરની આ ફિલ્મ આવી રહી છે. તારે ઝમીન સિરિઝની આ ફિલ્મ તેની સિક્વલ નથી, પણ માનસિક રીતે વિકલાંગ બાળકોની વાત લઈને આવી હોય તેમ લાગી રહ્યું છે.