આમચી મુંબઈમનોરંજન

ખ્યાતનામ મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું નિધન

મુંબઈઃ ફિલ્મ અને ટીવીજગતના જાણીતા અભિનેતા સતીશ શાહના નિધન બાદ ફિલ્મજગત માટે ફરી દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતી મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે.

વૃદ્ધાવસ્થાને કારણે તેઓ નાદુરસ્ત રહેતા હતા, આજે તેમણે આખરી શ્વાસ લીધા છે. તેઓ માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાં.

તેમની કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી. આકાશવાણીમાં તેઓ ગાઈ ચૂક્યાં હતા, ત્યારબાદ અભિનય તરફ વળ્યાં હતાં. દયાનો પરિવાર પણ કલાજગત સાથે જોડાયેલો હતો અને તેમણે 16 વર્ષની વયે નાયજગતમાં પ્રવેશ કર્યો હતો.

આપણ વાચો: સતિષ શાહના નિધન બાદ વાઈરલ થઈ રહ્યો છે આ ખાસ વીડિયો, વીડિયોમાં કહેલી વાત સાંભળીને…

દયા ડોંગરેએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ પ્રવેશ મેળવ્યો હતો. જોકે વિવાહ થઈ જતા તેઓ કોર્સ પૂરો કરી શક્યાં ન હતાં, પરંતુ લગ્ન બાદ પતિએ તેમને ઘણો સાથ આપતા તેમણે અભિનય ક્ષેત્રે કામ કરવાનું ચાલુ રાખ્યું અને વિવિધ ભૂમિકાઓ ભજવી લોકપ્રિય થયાં હતાં.

માય બાપ અને ખટ્યાલ સાસુ નાથલ સૂન આ બે ફિલ્મો માટે તેમને મહારાષ્ટ્ર સરકારનો સ્પેશિયલ એક્ટ્રેસ એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત 2019 માં અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમનાં મૃત્યુની ખબર આવતા જ મરાઠીજગત સહિત કલાજગતની હસ્તીઓએ દિલગીરી વ્યક્ત કરી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button