આર્ટિફિશિયલ કોસ્મેટિકસ ફિલર્સ છે જીવલેણ: મલ્લિકા શેરાવતએ વીડિયો શેર કરી મહત્વની વાત…

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા સમયથી મોટા પડદાથી દૂર રહ્યા છે. છતા તેઓ પોતાના સોશિયલ મીડિયાથી ચાહકોની ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બોટોક્સ અને આર્ટિફિશિયલ ફિલર્સનો ઉપયોગ નહીં કરવા અને કુદરતી સૌંદર્ય અપનાવવાની સલાહ આપતા જોવા મળ્યા હતા.
મલ્લિકાનો વાયરલ વીડિયો
મલ્લિકા શેરાવતે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું, “ગુડ મોર્નિગ! હું હમણાં જ ઊંઘમાંથી ઉઠી છું અને આ સેલ્ફી વીડિયો શેર કરી રહી છું. આમા ન તો ફિલ્ટર છે, ન મેકઅપ છે, ન તો વાળ ઓળ્યા છે. હું બોટોક્સ અને આર્ટિફિશિયલ ફિલર્સને ના પાડીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવા માંગું છું.” આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો અને સમર્થન આપ્યું છે.
મલ્લિકાના વીડિયોને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળ્યો છે. એક યુઝરે લખ્યું, “કુદરતી સૌંદર્ય હંમેશા શ્રેષ્ઠ હોય છે.” જ્યારે અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “જે લોકો પોતાને કુદરતી રીતે સુંદર માને છે, તેમને કશું કરવાની જરૂર નથી.” એકે લખ્યું, “આવો સંદેશ શેર કરવા બદલ આભાર.” લોકો મલ્લિકાના આ સંદેશને સરળ અને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે, જે કુદરતી જીવનશૈલી પર ભાર મૂકે છે.
શેફાલીના જરીવાલાનું અવસાન
બીજી તરફ, અભિનેત્રી શેફાલી જરીવાલાના આકસ્મિક નિધનના કારણે એન્ટી-એજિંગ દવાઓ પર ચર્ચા શરૂ થઈ છે. તપાસમાં જાણવા મળ્યું કે, શેફાલી છેલ્લા સાત-આઠ વર્ષથી નિયમિત એન્ટી-એજિંગ દવાઓ લઈ રહી હતી. 27 જૂને તેમના ઘરે પૂજા હતી, જેના કારણે તેઓ ઉપવાસ પર હતાં, છતાં તેમણે બપોરે એન્ટી-એજિંગ ઈન્જેક્શન લીધું હતું. પોલીસને શંકા છે કે આ દવાઓ કારણે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોઈ શકે. શેફાલીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ 30 જૂન સુધીમાં આવે તેવી શક્યતા છે, જે નિધનનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરશે.
આપણ વાંચો : 48 વર્ષીય મલ્લિકા શેરાવત કઈ રીતે રહે છે આટલી ફિટ? નેચરલ એનર્જી માટે કઈ ડ્રિંક લે છે…