50 રૂપિયાનું વેચાણ, 15 લાખનો ખર્ચ… કંગના રનૌતની રેસ્ટોરાની હાલત જોઈ ચોંકી જશો | મુંબઈ સમાચાર
મનોરંજન

50 રૂપિયાનું વેચાણ, 15 લાખનો ખર્ચ… કંગના રનૌતની રેસ્ટોરાની હાલત જોઈ ચોંકી જશો

મંડી: મંડીના ચૂંટાયેલા સાંસદ અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં મનાલીમાં તેમના રેસ્ટોરાના ઓછા વેચાણથી દુઃખી છે. મનાલીની મુલાકાત દરમિયાન તેણે ત્યાં હાજર લોકો અને મીડિયા સાથે પોતાની ચિંતાઓ શેર કરી હતી.
કંગનાના મતે તેના રેસ્ટોરાનું દૈનિક વેચાણ ફક્ત 50 રૂપિયા હતું, જ્યારે સ્ટાફના પગાર અને અન્ય ખર્ચ રૂપિયા 15 લાખ સુધી પહોંચી ગયા. મંડી મતવિસ્તારના સાંસદ કંગના રનૌત વરસાદી આફત પછી મનાલી પહોંચી હતી. તે આપત્તિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી રહી છે.

તેણે મનાલીના પલચાન ગામમાં થયેલા વિનાશને જોયો. કંગના રનૌતે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, “હું પણ હિમાચલી છું અને આ વિસ્તારની જ રહેવાસી છું. લોકો મારી પાસે મદદ માટે આવે છે, પરંતુ કૃપા કરીને મારું દુઃખ પણ સમજો. હું એક સિંગલ મહિલા છું. મારી રેસ્ટોરાનું વેચાણ ફક્ત 50 રૂપિયા છે અને ખર્ચ 15 લાખ રુપિયાનો છે. કેન્દ્ર સરકારે આ આપત્તિ માટે 10,000 કરોડ રૂપિયાની મદદ કરી છે.” કંગના મીડિયા સાથે વાત કરી રહી હતી.

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીની બાંદ્રા ખાતે આવેલી રેસ્ટોરાં બેસ્ટિયન બંધ થશે, પોસ્ટ શેર કરીને આપી માહિતી…

આ ઘટનાક્રમ દર્શાવે છે કે કંગના રાજકારણમાં નવી ઇનિંગ શરૂ કરી રહી છે, સાથે તેના વ્યવસાયને લગતા પડકારોનો પણ સામનો કરી રહી છે. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે, જ્યાં લોકો તેમના દર્દને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની વ્યવસાયિક સમસ્યાઓની ચર્ચા કરી રહ્યા છે.

સાંસદે આગળ કહ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્રનો આભાર માનતા શીખવું જોઈએ. જો રાજ્ય સરકાર કેન્દ્રીય ભંડોળની રકમની ગણતરી નહીં કરે અને તે ભંડોળ ક્યાંય ગણવામાં નહીં આવે તો કેન્દ્ર રાજ્યને કેમ મદદ કરશે. કંગનાએ મનાલીમાં અસરગ્રસ્ત લોકોને જણાવ્યું કે કેન્દ્ર સરકાર હિમાચલ પ્રદેશને ભરપૂર મદદ કરી રહી છે. પરંતુ હિમાચલ સરકાર તે પૈસાનો દુરુપયોગ કરી રહી છે. અત્યાર સુધીમાં, કેન્દ્ર સરકારે 10,000 કરોડ રૂપિયાની સહાય આપી છે. ભવિષ્યમાં તે હજી વધુ સહાય પૂરી પાડશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button