મનોરંજન

આ ધાકડ અભિનેત્રીએ કહ્યું કે જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહેશે તો હું….

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનો માટે જાણઈતી છે. રાજકીય હોય કે સામાજિક તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેમાં પણ તે ઘણી વાર પોતાના નિવેદનો દ્વારા વડા પ્રધાન મોદીનું સમર્થન કરતી પણ જોવા મળે છે. અને તેના કારણે જ તેને ઘણીવાર રાજકારણમાં આવવા અંગે પ્રશ્ર્નો પણ પૂછવામાં આવ્યા છે પરંતુ તે હંમેશા એમ કહીને ટાળતી કહેતી હતી કે રાજકારણ એ મારું કામ નથી.

પરંતુ હાલમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે દ્વારકા પહોંચેલી કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાજકારણમાં જોડાવા ઈચ્છો છો ત્યારે કંગનાએ સીધા સંકેત આપતા જણાવ્યું હતું કે જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહીતો તે ચોક્કસ રાજકારણમાં જોડાશે.

કંગના રનૌતે ગુજરાતના પ્રખ્યાત પ્રવાસ સ્થળ દ્વારકાના મંદિરની મુલાકાત લીધી હતી. તેણે જણાવ્યું હતું કે દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કંગના રનૌતે પણ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.


તેણે દ્વારકા વિશે જણાવતા કહ્યું હતું કે દ્વારકા શહેર એક દિવ્ય નગરી છે. દ્વારકાધીશ દરેક કણમાં વિદ્યમાન છે અને આપણે દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્યતા અનુભવીએ છીએ. હું છેલ્લા ઘણા સમયથી અહી આવવાની કોશિશ કરી રહી હતી પરંતું કામના કારણે શક્ય બનતું નહોતું. કૃષ્ણની આ નગરી સ્વર્ગથી સહેજ પણ ઓછી નથી.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ ઈમરજન્સી છેઆમાં અભિનેત્રી ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. કંગના ફિલ્મની નિર્માતા અને દિગ્દર્શક બંને છે. તે સિવાય એક થ્રિલર ફિલ્મ પણ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો