મારી આંખોમાં આંસુ આવી ગયા…’સિતારે જમીન પર’ ફિલ્મ જોઈને જાવેદ અખ્તર થયા ભાવુક

મુંબઈ: આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. બોલીવૂડની જાણીતી હસ્તીઓ તરફથી પણ ફિલ્મના સારા રિવ્યુ મળી રહ્યા છે. આ ફિલ્મનો રિવ્યુ આપવામાં ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ તેમના હૃદયને સ્પર્શી ગઈ છે.
મારી આંખોમાં આંસુ આવી ગયા: જાવેદ અખ્તર
ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે “સિતારે ઝમીન પર” ના ખાસ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. ફિલ્મ જોયા બાદ તેમણે પોતાનો રિવ્યુ આપ્યો હતો. પોતાના રિવ્યુમાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે, “સિતારે ઝમીન પર ખૂબ જ સારી ફિલ્મ છે. તે મારા હૃદયને સ્પર્શી ગઈ છે. જ્યારે હું થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.” ફિલ્મના ખાસ સ્ક્રીનિંગમાં જાવેદ અખ્તર સાથે ખાન ત્રિપુટી પણ હતી.
જેનેલિયાની આમિર ખાન સાથેની પહેલી ફિલ્મ
જાવેદ અખ્તર સિવાય જુહી ચાવલા અને રિયા ચક્રવર્તીએ પણ ફિલ્મનો રિવ્યુ આપ્યો હતો. જુહી ચાવલાએ આમિર ખાનના વખાણ કરતા જણાવ્યું હતું કે, “આમિરની આ ફિલ્મે તેની બધી ફિલ્મોને પાછળ પાડી દીધી છે.” રિયા ચક્રવર્તીએ ફિલ્મ રિવ્યુ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “મારું હૈયું ભરાઈ ગયું છે. આ ખૂબ જ સારી ફિલ્મ છે. તેને અચૂક જોવી જોઈએ. તમામ સ્ટાર કાસ્ટે ખૂબ જ સારો અભિનય કર્યો છે. જેનેલિયા દરેક ફ્રેમમાં ચમકે છે.”
ઉલ્લેખનીય છે કે, ‘સિતારે જમીન પર’ 2018માં આવેલી સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સની રિમેક છે. ફિલ્મે પહેલા દિવસે 8 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં આમિર ખાને જેનેલિયા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરી છે. 2022માં આવેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મના 3 વર્ષ બાદ આમિર ખાન મોટા પડદે પાછો ફર્યો છે.
આ પણ વાંચો…બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સિતારા જમીન પર રહ્યા! જાણો કેટલી કરી કમાણી…