મનોરંજન

માતાના નિધન પર બનેલા મીમ્સ જોઈને હું દુઃખી થઈ હતીઃ જાહ્નવી કપૂરે મીમ્સ અંગે કર્યાં ચોંકાવનારા ખુલાસા

જાહ્નવી કપૂરે 2018માં “ધડક”થી ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે, તેની ફિલ્મ “હોમબાઉન્ડ” ઓસ્કારની રેસમાં છે. દરમિયાન, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે તેની માતા (શ્રીદેવી)ના મૃત્યુના થોડા મહિના પછી સતત એવા પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે, જેનાથી તેનો અભિનેત્રી તરીકે વિકાસ થયો છે. છતાં લાંબા સમય સુધી તેને લાગતું હતું કે તેને તકો અને ખ્યાતિ મળી હોવા છતાં તેણે લોકોનો આદર મેળવ્યો નથી. હવે, તે કહે છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જાહ્નવી કપૂરે તેની માતાના મૃત્યુ પર બનેલા મીમ્સ અંગે પણ વાત કરી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહ્નવીએ કહ્યું કે તે સન્માન ઇચ્છે છે. આ જ શોમાં તેણે જણાવ્યું કે તેનો દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાયો છે. તેણે કહ્યું ‘છેલ્લા કેટલાક વર્ષોમાં મેં એક વાત ચોક્કસ શીખી છે કે જ્યાં સુધી તમે તમારી જાતને માન નહીં આપો, ત્યાં સુધી બીજું કોઈ નહીં આપે. મારા પરિવારને કારણે મને ખ્યાતિ સરળતાથી મળી હતી.

આ પણ વાંચો: મેલ ઈગોને હેન્ડલ કરવો એ મોટો પડકાર, જાહ્નવી કપૂરે આવું કેમ કહ્યું?

મને ક્યારેય લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની જરૂર નથી લાગી. મને તેના વગર જ બધું જ મળ્યું. હું એ દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે કોઈ મારી પાસે આવે અને કહે- હું તમારો આદર કરું છું, પણ સાચું કહું તો જ્યાં સુધી તમે તમારી ક્ષમતાઓને નહીં ઓળખો ત્યાં સુધી બીજું કોઈ નહીં ઓળખે.’

આ જ ઇન્ટરવ્યુમાં 28 વર્ષીય અભિનેત્રીએ તેની માતાના મૃત્યુ પછી અનુભવેલા આઘાતજનક અનુભવનું વર્ણન કર્યું હતું. એક એવો અનુભવ જે તેના ડેબ્યૂના થોડા મહિના પહેલા જ એક રમુજી મજાક અને મીમમાં ફેરવાઈ ગયો. તેણે કહ્યું હતું કે તે સમયે મેં જે સહન કર્યું તેનું હું સંપૂર્ણ વર્ણન કરી શકું એમ નથી. જો હું તમને બધું કહી દઉં, તો પણ મને ખબર નથી કે કોઈ સમજી શકશે કે નહીં. હું હંમેશાં ધ્યાન રાખું છું કે લોકોને એવું ન લાગે કે હું કંઈક એવું કહી રહી છું જેનાથી લોકો પોતાના વિશે ખરાબ વિચારે, તેથી હું સાવધ રહું છું.”

આ પણ વાંચો: રિસેપ્શનિસ્ટ પર હુમલો કરવાના કેસ પર જાહ્નવી કપૂરે આપી પ્રતિક્રિયા, ઇન્સ્ટાગ્રામમાં શેર કરી સ્ટોરી

જાહ્નવીએ આગળ કહ્યું કે ‘હું જાણું છું કે દરેક વ્યક્તિ હેડલાઇન્સ ઇચ્છે છે અને મને મારા જીવનની આવી પીડાદાયક ઘટના અથવા મારી માતા સાથેના મારા સંબંધોનો ઉપયોગ થતો જોવાનું ગમશે નહીં.’ પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કાને યાદ કરતાં, જાહ્નવીએ આજના મીડિયા વાતાવરણમાં વ્યુઅરિઝમની ટીકા કરી.

જાહ્નવીએ કહ્યું, “મીડિયાએ સંસ્કૃતિ નૈતિકતાના પતનમાં એકલા હાથે ફાળો આપ્યો છે. જ્યારે મેં મારી માતા ગુમાવી, ત્યારે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. મને ખબર નથી કે કોઈ કલ્પના પણ કરી શકે છે કે કોઈ નજીકનાને ગુમાવવું અને પછી તેમના મીમ બનતા જોવાનું કેવું લાગે. આ બધું દિવસેને દિવસે વધી રહ્યું છે.

ધરમજી સાથે શું થયું તે આપણે જોયું. આવું પહેલા પણ ઘણી વખત બન્યું છે અને બનતું રહેશે. આપણે આ સમસ્યાનો ભાગ છીએ. જ્યારે પણ આપણે આવા વીડિયો અથવા હેડલાઇન્સને વ્યૂઝ, કમેન્ટ્સ, લાઈક્સ આપીએ છીએ, ત્યારે આપણે આ સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ છીએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button