Happy Birthday: રિયાલિટી શૉમાંથી કાઢી મૂક્યો હાલમાં 70 કરોડનો છે માલિક
![Wow Arijit, despite the security guard's mistake, himself apologized to the female fan](/wp-content/uploads/2024/04/arijit-singh-780x470.jpg)
અરિજિત સિંહ તેની દમદાર ગાયકીથી લોકોના દિલ પર રાજ કરે છે. આજે અરિજિતનો 37મો જન્મદિવસ છે. તેનો ગીતો લોકોને ગમે છે ખૂબ જ પણ તેની ગાયકી એટલી ઉચ્ચ કોટિની છે કે તેના જેવું ગાવું ભલભલા માટે અઘરું બની જાય છે. અરિજિત વર્તમાન સમયના ટોચના ગાયકોમાંથી એક છે. ચાહકો ગાયકના ગીતોની આતુરતાથી રાહ જુએ છે. તેમના ગીતો રિલીઝ થતાની સાથે જ ચાર્ટબસ્ટર બની જાય છે.
અરિજીતનો જન્મ વર્ષ 1987માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ કક્કર સિંહ હતું. તે શીખ હતો, જ્યારે તેની માતા અદિતિ બંગાળી હતી. અરિજીતને બાળપણમાં જ સંગીતનો શોખ હતો. આ જ કારણ હતું કે તેણે ખૂબ જ નાની ઉંમરે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. અરિજિત અત્યારે જે સ્થાન પર છે ત્યાં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
![](/wp-content/uploads/2024/04/arijit-rare-854x1024.jpg)
અરિજીત પહેલીવાર ટીવી રિયાલિટી શો ફેમ ગુરુકુલમાં જોવા મળ્યો હતો. આ સિંગિંગ શોમાં તેમની ગાયકીએ જજ જાવેદ અખ્તર, શંકર મહાદેવન અને કેકેના દિલ જીતી લીધા હતા, પરંતુ ઓછા વોટના કારણે તેમને શોમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી પણ ગાયકનો સંઘર્ષ ચાલુ રહ્યો.
![](/wp-content/uploads/2024/04/arijit.webp)
સંજય લીલા ભણસાલીએ તેમની ફિલ્મમાં અરિજીતને તક આપવાનું વચન આપ્યું હતું. ગાયકે સાંવરિયા માટે પોતાના અવાજમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું, પરંતુ તે ક્યારેય રિલીઝ થયું ન હતું. અરિજિતની કારકિર્દીને આગળ બનાવવામાં સંગીતકાર પ્રીતમે મહત્વની ભૂમિકા ભજવી છે. બંનેએ સાથે મળીને ‘ગોલમાલ 3’, ‘ક્રૂક’ અને ‘એક્શન રિપ્લે’ જેવી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું.
![](/wp-content/uploads/2024/04/Arijit-Cricket.jpg)
તેણે 2011માં મર્ડર 2થી બોલિવૂડમાં તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનું ગીત ‘ફિર મોહબ્બત’ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. જોકે, આશિકી 2ને તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેમના દ્વારા ગાયેલા ગીતો એટલા સફળ રહ્યા હતા કે આ પછી અરિજિતે ક્યારેય પાછું વળીને જોયું નથી.
![](/wp-content/uploads/2024/04/Arijit-Famliy-1.jpg)
અરિજીતના સુપરહીટ ગીતોની યાદી કરવી અશક્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજિત એક ગીત માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે કોન્સર્ટ માટે પણ મોટી ફી લે છે. મળતી માહિતી મુજબ, તે શો માટે 1 થી 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની નેટવર્થ વિશે વાત કરીએ તો તે લગભગ 70 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અરિજીત આમ જ સૂરીલુ ગાતો રહે તેવી તેને શુભેચ્છા