મનોરંજન

Financial Crisis નહીં પણ આ કારણે ઓફિસ વેચવી પડી, Bhagnani Familyએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના ફેમસ પ્રોડ્યુસર વાશુ ભગનાની અને તેમનો દીકરો જેકી ભગનાની (Bollywood Famous Producer Vashu Bhagnani And Son Jackky Bhagnani)એ દેવાળુ ફૂંક્યું હોવાને કારણે મુંબઈમાં આવેલી પ્રોડક્શન હાઉસની આલિશાન ઓફિસ વેચવી પડી હોવાના અહેવાલ વાઈકલ થયા હતા, પરંતુ હવે વાશુ ભગનાનીએ ચોંકાવનારો ખુલાસો કરતાં ઓફિસ વેચવા પાછળનું ખરું કારણ જણાવ્યું છે. આવો જોઈએ શું કહ્યું છે વાશુ ભગનાનીએ-

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં વાશુ ભગનાનીએ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલાં તમામ દાવાને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે બિલ્ડિંગ રિડેવલમેન્ટમાં જઈ રહી હોવાને કારણે તેમણે આ ઓફિસ વેચી કાઢી છે. એટલું જ નહીં તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હું વર્ષોથી એક જ ટીમ સાથે કામ કરી રહ્યો છું અને હજી સુધી એમાંથી કોઈ પણ ઓફિશિયલી કમ્પ્લેઈન્ટ નથી કરી.

આ પણ વાંચો: આ છે Bollywoodના ઉતાર-ચઢાવઃ રકુલ પ્રીતના સાસરીયાઓ સંકટમાં, ઓફિસ વેચવી પડી

કર્મચારીઓના પૈસા બાકી રાખ્યા હોવાનો આક્ષેપ પણ વાશુ ભગનાની સામે કરવામાં આવ્યો હતો, જેને નકારી કાઢતા તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લાં 30 વર્ષથી આ જ પ્રોફેશનમાં છું. જો અમે કોઈના પૈસા બાકી રાખ્યા છે અને કોઈ એવો દાવો કરે છે તો તેણે સામે આવવું જોઈએ અને અમારી સાથે વાત કરવી જોઈએ. એમણે પૂજા એન્ટરટેઈન્ટમેન્ટ સાથે કોઈ એગ્રીમેન્ટ કર્યા છે કે? તેમણે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવી છે કે કેમ એ બાબતે પણ સ્પષ્ટતા કરવી જોઈએ.

કોઈ ક્યાંય ભાંગી નથી ગયું, બધા અહીંયા જ છે. તમે મારી ઓફિસ આવો અને અમારી સાથે વાત કરો. તમારા ડોક્યુમેન્ટ આપો અને અમને આ બાબતની તપાસ કરવા માટે 60 દિવસનો સમય પણ આપો, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ સાથે સાથે જ તેમણે પૈસાની તંગીને કારણે ઓફિસ વેચી દીધી હોવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે ઓફિસ જે જગ્યાએ આવેલી છે એનો પુનર્વિકાસ ચાલુ છે અને એનું પ્લાનિંગ એક વર્ષ પહેલાંથી જ કરવામાં આવ્યું છે. બડે મિયાં છોટે મિયાં ફિલ્મ રિલીઝ થયા બાદ હવે એનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મ ફ્લોપ જવી એ કામનો જ એક ભાગ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ તેઓ પોતાના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે એવી માહિતી પણ તેમણે પ્રસાર માધ્યમોને આપી હતી.

આ પણ વાંચો: Bachchan Family સાથેના ખટરાગ વચ્ચે આ ક્યાં જોવા મળી Aishwarya Rai Bachchan?

અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર આ ફિલ્મ બનાવવા માટે 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર 59.17 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. આ જ કારણે પ્રોડક્શન હાઉસ દ્વારા કર્મચારીની છટણી કરી હોવાની અને ઓફિસ વેચી દીધા હોવાના અહેવાલો વહેતા થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ