પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે ભારતીય દર્શકોનો મૂડ બગાડ્યો

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર એક સમયે ભારતીયો ઘણી પ્રિય હતી. આજથી બે મહિના પહેલા હાનિયાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ભારતીય ફેન્સ પણ રોજ કમેન્ટ્સ કરતા, પરંતુ ઑપરેશન સિંદૂર અને ત્યારબાદ હાનિયાએ ઓકેલા ઝેર પછી હવે તેનું મોઢું પણ લોકો જોવા માગતા નથી, ત્યારે તેની ફિલ્મ ભારતમાં રિલિઝ થાય તે તો શક્ય જ નથી.
હાનિયાને કારણે ભારતીય દર્શકોએ એક ફિલ્મ જોવાનો મોકો ગુમાવવો પડશે. સરદારજી થ્રીનું ટ્રેલર રિલિઝ થયું ત્યારે ફેન્સ ખુશ થયા હતા. દિલજીત દોસાંજની ફિલ્મો જોવાનો એક મોટો વર્ગ છે, પરંતુ તેમાં હાનિયા હોવાની ખબરે બધાના દિલ તોડ્યા છે અને દિલજીત પણ ટ્રોલ થઈ રહ્યો છે.
આ સ્થિતિ જોતા મેકર્સે નિર્ણય કર્યો છે કે ફિલ્મ માત્ર ઑવરસિઝ રિલિઝ થશે, ભારતમાં ફિલ્મ રિલિઝ કરવામા આવશે નહીં. જોકે આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલિઝ થશે કે નહીં તે અંગે ખાસ સ્પષ્ટતા નથી, પરંતુ અમુક પાક મીડિયા રિલિઝ થશે, તેવો દાવો કરી રહી છે.
આ પણ વાંચો…સલમાન ખાન કઈ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે? ‘ભાઈજાન’ના ખુલાસાથી ચાહકો ચોંક્યા!