હમ તો ડૂબે સનમ તુમકો ભી લે ડૂબેઃ દિલજીત ડોસાંઝને લીધે આ મલ્ટિસ્ટારર ફિલ્મની રિલિઝ ઉપર લટકતી તલવાર

મુંબઈ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ ‘સરદાર જી 3’ ફિલ્મના ટ્રેલર બાદ વિવાદના ઘેરામાં આવી ગયા છે. પાકિસ્તાની અભિનેત્રી સાથે ફિલ્મ બનાવવાથી તેમને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
જો કે તેમણે સ્પષ્ટતા પણ આપી હતી કે, આ શૂટિંગ પહેલાગામ હુમલા પહેલા થયું હોવાથી તેમાં પાકિસ્તાની અભિનેત્રી લેવામાં આવી છે. પરંતુ લોકોનો રોષ અને ફિલ્મ ઉદ્યોગના સંગઠનોની ટીકાએ તેમને મુશ્કેલીમાં મૂક્યા છે. આ વિવાદ હવે માત્ર તેની એક ફિલ્મ પૂરતો નથી રહ્યો કેમ કે આ વિવાદની સીધી અસર તેની આગામી ફિલ્મ બોર્ડર-2 પર પણ પડી રહી છે.
આપણ વાંચો: શું દિલજીત દોસાંઝની સરદાર જી 3 ભારતમાં રિલીઝ નહીં થાય? જાણો વિવાદ
વિવાદની શરૂઆત
‘સરદાર જી 3’ના ટ્રેલરમાં હાનિયા આમિરની ભૂમિકાથી દિલજીતનું ટ્રોલિંગ શરૂ થયું હતું. જો કે હવે ફિલ્મી ભારતમાં રીલિઝ ન થવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેને આર્થિક રીતે પણ તેમને ફટકો પડ્યો હતો.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)ના પ્રમુખ બી.એન. તિવારીએ આક્ષેપ કર્યો કે દિલજીતે પાકિસ્તાની કલાકાર સાથે કામ કરીને ભારતીય લાગણીઓ, દેશનું સન્માન અને જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. આ ઉપરાંત FWICEએ દિલજીતના તમામ આગામી પ્રોજેક્ટ્સ, જેમાં ફિલ્મો અને ગીતોનો સમાવેશ થાય છે, પર પ્રતિબંધની માંગ કરી છે.
આપણ વાંચો: દિલજીત દોસાંઝે લંડનમાં પીધેલી આ એક કોફીની કિંમતમાં તો આપણું આખો મહિનો નીકળી જાય
‘બોર્ડર 2’ પર નિશાન
વિવાદ ફક્ત ‘સરદાર જી 3’ સુધી મર્યાદિત નથી. FWICEએ દિલજીતને સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’માંથી હટાવવાની માંગ કરી છે, જે 2026ની એપ્રિલમાં રિલીઝ થવાની છે. FWICEએ ટી-સિરીઝના ચેરમેન ભૂષણ કુમાર, ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી અને સની દેઓલને પત્ર લખીને દિલજીત સાથેના સહયોગ પર પુનર્વિચાર કરવા કહ્યું. તેમણે દાવો કર્યો કે હાનિયા સાથેની ફિલ્મે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડ્યો છે.
સની દેઓલને અપીલ
FWICEએ સની દેઓલને લખેલા પત્રમાં જણાવ્યું કે, “તમે હંમેશા ઓનસ્ક્રીન અને ઑફસ્ક્રીન દેશના હિતના મૂલ્યોને દર્શાવ્યા છે. આ વખતે પણ તમે યોગ્ય નિર્ણય લેશો.” આ મુદ્દે દિલજીત કે ફિલ્મના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ વિવાદે દિલજીતની કારકિર્દી અને ફિલ્મ ઉદ્યોગની રાજનીતિ પર નવી ચર્ચા જગાવી છે.